જૂન 11, 2023

પ્રેમ ની શોધ માં

મારો પ્રેમ કહાની તમે વાચી હશે તો તમને ખબર પડી ગઈ હસે કે મારો લક્ષ અને ઉદ્દેશ્ય પ્રેમ ને શોધવો હતો ....પણ પ્રેમ ની શોધ માં  ફરતાં ફરતાં હું ક્યારે આધ્મક  વાતો સમજી ગયો કે  ખબર જ ન પડી પ્રેમ માં પ્રેમી ને જે દુઃખ થાય એ પાપ કે પુણ્ય આ સમજવા માં મારે પાપ અને પુણ્ય ને સમજવું પડ્યું....ચાલો પાપ અને પુણ્ય વિશે વાતો કરીયે...આપણા ભારતમાં તો પુણ્ય-પાપની સમજ તો પા-પા પગલી માંડતો થાય ત્યાંથી જ આપવામાં આવે છે. નાનું બાળક જીવડાં મારતું હોય તો માતા ફટાક કરીને તેના હાથ ઉપર થપ્પડ મારી દે છે ને ક્રોધ કરીને કહે છે ‘ના મરાય, પાપ લાગે !’ નાનપણથી બાળકને સાંભળવા મળે છે ખોટું કરીશ તો પાપ લાગશે, આમ ન કરાય. ઘણી વખત માણસને દુઃખ પડે છે ત્યારે રડી ઊઠે છે, કહેશે મારા ક્યા ભવના પાપની સજા ભોગવું છું. સારું બની જાય તો પુણ્યશાળી છે’ કહેશે. આમ પાપ, પુણ્ય શબ્દ આપણા વ્યવહારમાં બોલવામાં સહેજે વપરાયા કરતા હોય છે.
ભારતમાં તો શું વિશ્વના તમામ લોકો પુણ્ય-પાપને સ્વીકારે છે અને તેમાંથી કઈ રીતે છૂટવું તેના ઉપાયો બતાડવામાં પણ આવ્યા છે.
પણ પાપ-પુણ્યની યથાર્થ વ્યાખ્યા શી ? યથાર્થ સમજ શી ? પૂર્વભવ-આ ભવ ને આવતા ભવ સાથે પાપ-પુણ્યને શો સંબંધ છે ? વન વ્યવહારમાં પાપ-પુણ્યનાં ફળ કેવી રીતે ભોગવવાં પડતાં હોય છે ? પુણ્ય અને પાપના પ્રકારો કેવા છે ? ત્યાંથી માંડીને ઠેઠ મોક્ષ માર્ગમાં પાપ-પુણ્ય કંઈ ઉપયોગી નીવડે છે ? મોક્ષે જવામાં પાપ- પુણ્ય બન્નેની જરુર છે કે બન્નેથી મુક્ત થવું પડશે ?પુણ્ય-પાપની એટલી બધી વાતો સાંભળવા મળે છે કે આમાં સાચું શું ? એ સમાધાન કયાંથી મળે ? પાપ-પુણ્યની - યથાર્થ સમજના અભાવે ખૂબ ગૂંચવાડા ઊભા થાય છે. પુણ્ય ને પાપની વ્યાખ્યા ક્યાંય કલીયર કટ ને શોર્ટકટમાં જોવા મળતી નથી. તેથી પુણ્ય પાપ માટે જાતજાતની વ્યાખ્યાઓ સામાન્ય મનુષ્યને મુંઝવે છે, અને અંતે પુણ્ય બાંધવાનું ને પાપથી અટકવાનું તો બનતું જ નથી.પાપ પુણ્ય ની નાની વ્યાખ્યા કહું તો આ પ્રમાણે કહી શકાય 
 “બીજાને સુખ આપવાથી પુણ્ય બંધાય અને બીજાને દુઃખ આપવાથી પાપ બંધાય.'' હવે આ વ્યાખ્યા બધે કામ આવે આપણા જીવનમાં અને પ્રેમ કરવામાં કેમ કે પ્રેમ માં ક્યાંક ને ક્યાંક બીજા પાત્ર ને તકલીફ અને દુઃખ મળે જ છે માટે  પ્રેમ થી આખો દિવસ રાખ્યા કરે તો આખો ય ધર્મ આવી ગયો ને અધર્મ છૂટી ગયો!અને ભૂલેચૂકે કોઈને દુઃખ દેવાઈ જાય તો તેનું કર્મ જ પ્રતિક્રમણ કરી લો. પ્રતિક્રમણ એટલે જેને વાણીથી, વર્તનથી કે મનથી પણ દુઃખ પહોંચ્યું, તો તે કર્મ જ તેની અંદર બિરાજેલા આત્મા, શુદ્ધાત્મા પાસે માફી માંગવી, હૃદયપૂર્વક પસ્તાવો થવો જોઈએ ને ફરી આવું નહીં કરું એવો દ્રઢ નિશ્ચય થવો જોઈએ. આટલું જ બસ. અને તે ય મનમાં, અને દિલથી પસ્ત્તાવો કરી લે, તો ય તેનું એક્ઝેક્ટ ફળ શાયદ નથી મળતું ..
 જીવન પુણ્ય અને પાપના ઉદય પ્રમાણે ચાલે છે, બીજો કોઈ ચલાવનારો નથી. પછી ક્યાં કોઈને દોષ કે શિરપાવ દેવાનો રહ્યો ? માટે પાપનો ઉદય હોય તો વધારે ફાંફાં માર્યા વિના શાંત બેસી રહે ને આત્માનું પરમાત્મા નું નામ લય ધ્યાન કરવું. પુણ્ય જો ફળ આપવાને સન્મુખ થયું હોય તો પછી સેંકડો પ્રયત્નો શાને ? અને પુણ્ય જ્યારેફળ આપવાને સન્મુખ ના થયું હોય તો પછી સેંકડો પ્રયત્નો શાને ? માટે તું ધર્મ કર.કર્મ કર અને પ્રેમ કર...
પુણ્ય-પાપ અંગેના સામાન્ય પ્રશ્નોથી માંડીને સૂક્ષ્મમાં સૂક્ષ્મ પ્રશ્નોના એટલા જ સરળ ટુંકા ને સચોટ સમાધાનકારી જવાબો અત્રે મળે છે, તળપદી શૈલીમાં ! મોક્ષે જવા શું પુણ્યની જરૂર ? જરૂર હોય તો કઈ ને કેવી પુણ્ય જોઈએ ?
પુણ્યે તો જોઈએ જ પણ પુણ્યાનુબંધી પુણ્ય જોઈએ. એટલું જ નહીં પણ મોક્ષના આશય સાથે જ પુણ્યે બંધાઈ હોય, જેથી કરીને એ પુણ્યના ફળરૂપે મોક્ષ પ્રાપ્તિના સર્વે સાધનો અને અંતિમ સાધન, આત્મજ્ઞાનીનું મળે ! વળી પુણ્યાનુબંધી પુણ્ય મોક્ષના હેતુ માટે બંધાયેલું હોય તો તેની સાથે (૧) ક્રોધ-માન-માયા-લોભ ઘટેલાં હોવાં જોઈએ, કષાયો મંદ થવાજોઈએ, (૨) પોતાની પાસે હોય તે બીજાને માટે ભેલાડી દે અને (૩) દરેક ક્રિયામાં બદલાની ઈચ્છા ન રાખે તો જ તે પુણ્ય મોક્ષ માટે કામ લાગે, નહીં તો બીજી પુણ્ય તો ભૌતિક સુખ આપી બરફની જેમ ઓગળી જાય !
પાપ-પુણ્ય
પાપ-પુણ્યની ન મળે ક્યાંય આવી વ્યાખ્યા ! જુવો...?
પ્રશ્નકર્તા : પાપ અને પુણ્ય એ વળી શું છે ?
હું : પાપ અને પુણ્યનો અર્થ શો ? શું કરીએ તો પુણ્ય થાય ? પુણ્ય-પાપનું ઉત્પાદન ક્યાંથી છે ?  ‘આ જગત જેમ છે તેમ જાણ્યું નથી લોકોએ, એટલે પોતાને ફાવે એમ વર્તે છે. એટલે કોઈ જીવને મારે છે, કોઈને દુઃખ દે છે, કોઈનેત્રાસ આપે છે.’
કોઈ પણ જીવમાત્રને કંઈ પણ ત્રાસ આપવો કે દુઃખ આપવું એનાથી પાપ બંધાય.  (આંખે દેખાય એવા કે ના દેખાય એવા, દરેક જીવ માત્રમાં ભગવાન છે.) આ જગતના લોકો, દરેક જીવમાત્ર એ ભગવાન સ્વરૂપ જ છે. આ ઝાડ છે, એમાંય જીવ છે. હવે આમ લોકો મોઢે બોલે ખરા કે બધામાં ભગવાન છે, પણ ખરેખર એની શ્રદ્ધામાં નથી. એટલે ઝાડને કાપે, એમ ને એમ અમથા તોડ તોડ કરે, એટલે બધું નુકસાન કરે છે. જીવમાત્રને કંઈ પણ નુકસાન દેવું, એનાથી પાપ બંધાય છે અને કોઈ પણ જીવને કંઈ પણ સુખ આપવું, એનાથી પુણ્ય બંધાય છે. તમે બગીચામાં પાણી છાંટો છો તો જીવોને સુખ પડે કે દુઃખ ? એસુખ આપો એનાથી પુણ્ય બંધાય છે. બસ, આટલું જ સમજવાનું છે.
આખા જગતના જે ધર્મો છે, એને સરવૈયારૂપે કહેવું હોય તો એક જ વાત સમજાવી દઈએ બધાને, કે જો તમારે સુખ જોઈતું હોય તો આ બીજા જીવોને સુખ આપો અને દુઃખ જોઈતું હોય તો દુઃખ આપો. જે અનુકૂળ આવે તે કરો, આનું નામ પુણ્ય અને પાપ. સુખ જોઈતું હોય તો સુખ આપો, તેથી ક્રેડિટ બંધાશે
અને દુઃખ જોઈતું હોય તો દુઃખ આપો તો
ડેબિટ બંધાશે. એનું ફળ તમારે ચાખવું પડશે.
સારું-ખોટું, પાપ-પુણ્યના આધારે !કોઈ ફેરા સંજોગો સારા આવે છે ખરા કે?

પ્રશ્નકર્તા : સારા ય આવે છે.

હું : એ ખરાબ ને સારા સંજોગોને કોણ મોકલતું હશે ? આપણાં જ પુણ્ય ને પાપના આધારે સંજોગો ભેગા થાય છે. એવું છે, આ દુનિયાને કોઈ ચલાવનારો નથી. જો કોઈ ચલાવનાર હોત તો પાપ-પુણ્યની જરૂર નથી.

પ્રશ્નકર્તા : આ જગતને ચલાવનારા કોણ ?

હું : પુણ્ય ને પાપનું પરિણામ. પુણ્ય ને પાપનાં પરિણામથી આ જગત ચાલી રહ્યું છે. કોઈ ભગવાન ચલાવતા નથી. કોઈ  નો આમાં હાથ નથી.
 
પ્રશ્નકર્તા : હવે પુણ્યો અનેક જાતનાં છે તો કઈ કઈ જાતનાં કાર્યો કરીએ તો પુણ્ય કહેવાય અને પાપ કહેવાય ?

હું: જીવમાત્રને સુખ આપવું  મનુષ્યો. એ મનુષ્યનું કર્તવ્ય છે પછી બીજા પ્રેફરન્સમાં પાંચ ઇન્દ્રિય જીવો. ત્રીજા પ્રેફરન્સમાં ચાર ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, બે ઇન્દ્રિય, એક ઇન્દ્રિય એવી રીતે એમને સુખ આપવું, એનાથી જ પુણ્ય થાય છે અને એને દુઃખ આપવું, એનાથી પાપ થાય છે.

પ્રશ્નકર્તા : ભૌતિક સુખો મળે છે, તેમણે કઈ જાતનાં કર્મો કર્યાં હોય તો તે મળે ?

હું: આ કોઈ દુઃખી થતું હોય એમને સુખ આપે, તેનાથી પુણ્ય બંધાય અને પરિણામે એવું સુખ આપણને મળે. કોઈને દુઃખ આપો તો તમને દુઃખ મળે. તમને પસંદ આવે તે આપજો.બે જાતની પુણ્યે. એક પુણ્યથી ભૌતિક સુખ મળે અને બીજી એક એવા પ્રકારની પુણ્ય છે કે જે આપણને ‘સચ્ચી આઝાદી’ પ્રાપ્ત કરાવે.એ બન્ને ગણાય કર્મ જ !

પ્રશ્નકર્તા : પાપ અને કર્મ એક જ જુદા ?

હું : પુણ્ય અને પાપ બન્નેય કર્મ કહેવાય. પણ પુણ્યનું કર્મ નડે નહીં ને પાપનું કર્મ આપણા ધાર્યા પ્રમાણે થવા ના દે ને નડે અને દુઃખ આપે...
જ્યાં સુધી એવી માન્યતા છે કે હું જ છું”, ત્યાં સુધી કર્મ બંધાયા જ કરે. કર્મ બે પ્રકારનાં બંધાય. પુણ્ય કરે તો સદ્ ભાવ અને પાપ કરે તો દુર્ભાવનાં કર્મ બાંધે. જ્યાં સુધી હકનું અને અણહકનું વિભાજન થયું નથી ત્યાં સુધી લોકોનું જુએ એવું એ ય ઊંધું શીખી જાય છે. મનમાં હોય જુદું, વાણીમાં કંઈ અને તૃતીયમ્ જ બોલે અને વર્તનમાં તો ઓર જ જાતનું હોય. એટલે નર્યાં પાપ બંધાય. એટલે અત્યારે લોકોને પાપની જ કમાણી .થાય છે...
પ્રશ્નકર્તા : તો પુણ્ય અને ધર્મમાં શું ફેર ?
હું: પુણ્ય એ વ્યવહાર ધર્મ છે, સાચો ધર્મ નથી. વ્યવહાર ધર્મ એટલે પોતાને સુખી થવા માટે. પુણ્ય એટલે ક્રેડિટ.કરવી આપણે સુખી થવાય, ક્રેડિટ કરી હોય તો આપણે નિરાંતે રહીએ અને તો સારી રીતે ધર્મ થાય. અને પાપ એટલે ડેબીટ. થાય પુણ્ય ના હોય, ક્રેડિટ ના હોય તો આપણે ધર્મ કરીએ શી રીતે ? ક્રેડિટ હોય તો એક બાજુ શાંતિ રહે, તો આપણે ધર્મ કરી શકીએ.

પ્રશ્નકર્તા : કયાં કર્મ કરવાથી પુણ્ય થાય અને કયાં કર્મ કરવાથી ધર્મ થાય ?

હું: આપણે આ તમામ જીવો, મનુષ્યો, ઝાડ-પાન, ગાયો-ભેંસો પછી ખેચર, ભૂચર, જલચર એ બધા જ જીવો સુખ ખોળે છે. અને દુઃખ કોઈને ગમતું નથી. માટે તમારી પાસે જે કંઈ સુખ હોય, તે બીજા લોકોને આપો તો તમારે ખાતે ક્રેડિટ થાય, પુણ્ય બંધાય અને બીજાને દુઃખ આપો, તો પાપ બંધાય.

પ્રશ્નકર્તા : તો ધર્મ કોને કહેવાય ?

હું: આમ તો ધર્મ ના મહત્વના 4 સ્તંભ છે એ કોઈ દિવસ બતાવીશ પણ હાલ પૂરતું આટલું જાણો ધર્મ એટલે આત્મધર્મ. આત્માનો પોતાનો ધર્મ. પાપ અને પુણ્ય બેઉ અહંકારનો ધર્મ છે. અહંકાર હોય ત્યાં સુધી પાપ અને પુણ્ય હોય. અહંકાર જાય એટલે પાપ અને પુણ્ય જાય, તો આત્મધર્મ થાય. આત્માને જાણવો પડે તો જ આત્મધર્મ થાય ..
ધર્મો શું કહે છે ? સારું કરો અને ખોટું ના કરશો. સારું કરવાથી પુણ્ય બંધાય અને ખોટું કરવાથી પાપ બંધાય.
આખી જિંદગીનો ચોપડો એકલા પુણ્યથી કંઈ ના ભરાય. કોઈને ગાળ આપી તો પાંચ રૂપિયા ઉધારી અને ધર્મ કર્યો તો સો રૂપિયા જમાં થાય.આવું નથી પાપ-પુણ્યની બાદબાકી થતી નથી. જો તેમ થતી હોય તો તો આ કરોડ પતિઓ પાપ જમાં થવા જ ના દે. પૈસા ખર્ચીને ઉધારી ઉતારી દે. પણ આ તો અસલ ન્યાય છે. તેમાં તો જે વખતે જેનો ઉદય આવે ત્યારે તે વેઠવું પડે. પુણ્યથી સુખ મળે અને પાપનાં ફળનો ઉદય આવે ત્યારે કડવું લાગે. ફળ તો બંનેય ચાખવાં જ પડે.
ભગવાન શું કહે છે કે, તને જે ફળ ચાખવાનું પોષાતું હોય, તેનું બીજ વાવજે. સુખ પોષાતું હોય તો પુણ્યનું ને દુઃખ પોષાતું હોય તો પાપનું બી વાવજે, પણ બંને રિલેટિવ ધર્મ જ છે, રિયલ નથી.રિયલ ધર્મમાં, આત્મધર્મમાં તો પુણ્ય અને પાપ બંનેથી મુક્તિ જોઈએ. રિલેટિવ ધર્મોથી ભૌતિક સુખો મળે અને મોક્ષભણી પ્રયાણ થાય, જ્યારે રીયલ ધર્મથી મોક્ષ મળે.. તેનાથી સીધો જ મોક્ષ મળી જાય. અહીં જ મોક્ષસુખ વર્તે. અહીં જ આધિ, વ્યાધિ અને ઉપાધિથી મુક્તિ મળી જાય ને નિરંતર સમાધિ રહ્યા કરે. નિરાકુળતા ઉત્પન્ન થાય. અહીં તો આત્મા અને પરમાત્માની વાતો થાય.પરમાણુ ફળે સ્વયં સુખ- દુઃખમાં !ખુશ રહે..
પ્રશ્નકર્તા : પાપ અને પુણ્ય એના વિભાગ કોણે પાડેલા? 
હું: કોઈએ પાડ્યા નથી.

પ્રશ્નકર્તા : આ પાપ છે, આ પુણ્ય એ બધું, બુદ્ધિ કહે છે, આત્માને તો પાપ- પુણ્ય કશું છે જ નહીં 

હું : ના, આત્માને નથી. સામાને દુઃખ થાય એવી વાણી આપણે બોલીએ ને, ત્યારે તે વાણી જ પોતે પરમાણુને ખેંચે છે. એ પરમાણુ ને દુઃખનો રંગ લાગી જાય છે, પછી એ પરમાણુ જ્યારે ફળ આપવા માંડે ત્યારે દુઃખ જ આપે એ. બીજી વચ્ચે કોઈની ઘાલમેલ છે નહીં.
એમાં જવાબદારી કોની ?
પ્રશ્નકર્તા : એક જણને પૈસા અને એક જણને ગરીબી એ કેવી રીતે આવે છે, મનુષ્ય જ બધા જન્મે છે ? 
હું : તે આપણો જે આ જન્મ થાય છે ને, તે ઈફેક્ટ હોય છે. ઈફેક્ટ એટલે ગયા અવતારમાં જે જમા છે તેનું આ ફળ છે. એટલે જેટલી પુણ્ય હોય, એ પુણ્યમાં શું શું થાય ? ત્યારે કહે, એમાં સંજોગો બધા સારા મળી આવે તો મદદ જ કર્યા કરે. બંગલો બાંધવો હોય તો બંગલો બંધાય, મોટર મળે ! અને પાપ એ સંજોગો ખરાબ લાવી અને બંગલો હરાજી કરાવડાવે. એટલે આપણા જ કર્મનું ફળ છે. એમાં ભગવાનની કંઈ ડખલ છે નહીં ! એક લાઈફ નહીં, કેટલીયે લાઈફ માટે ભગવાનની ડખલ છે નહીં આમાં ! વગર કામના લોકો ભગવાનની પાછળ પડ્યા છે.અને દોષ આપે છે
જગતમાં આત્મા ને પરમાણુ બે જ છે. કોઈને શાંતિ આપી હોય, સુખ આપ્યું હોય તો પુણ્યના પરમાણુ ભેગા થાય ને કોઈને દુઃખ આપ્યું હોય તો પાપના પરમાણુ ભેગા થાય. પછી એ જ કરડે. ઈચ્છા મુજબ થાય છે તે પુણ્ય અને ઈચ્છા વિરુદ્ધ થાય છે તે પાપ. પાપ બે પ્રકારનાં, 
એક પાપા નુ બંધી પાપ, બીજું એક પુણ્ય નું બંધી પાપ અને પુણ્ય બે પ્રકારનાં એક પાપાનુંબંધી પુણ્ય, બીજું પુણ્યાનુબંધી પુણ્ય.

પાપાનુબંધી પાપ !

પાપાનુબંધી પાપ એટલે અત્યારે પાપ ભોગવે છે અને પાછો અનુબંધ પાપનો નવો બાંધે છે. કોઈને દુઃખ આપે છે ને પાછો ખુશ થાય છે.

પુણ્યાનુબંધી પાપ !

પછી પુણ્યાનુબંધી પાપ એટલે પૂર્વના પાપને લીધે અત્યારે દુઃખ (પાપ) ભોગવે છે પણ નીતિથી અને સારા સંસ્કારથી અનુબંધ પુણ્યનો બાંધે છે. 
પ્રશ્નકર્તા : તો દુઃખ ઉપકારી છેને ?

હું: ના, જેને ‘હું શુદ્ધાત્મા છું’ એવું ભાન થઈ ગયું છે એને દુઃખ ઉપકારી છે, નહીં તો દુઃખમાંથી દુઃખ જ જન્મે. દુઃખમાં ભાવ તો દુઃખના જ આવે. અત્યારે પુણ્યાનુબંધી પાપવાળા જીવો ઓછા છે. છે ખરા પણ એમને પણ દુષમકાળ નડે છે. કારણ કે આ પાપ નડે છે. પાપ એટલે શું કે સંસારવ્યવહાર ચલાવવામાં અડચણો પડે, એનું નામ પાપ કહેવાય. એટલે બેન્કમાં વધવાની તો વાત ક્યાં ગઈ પણ આ રોજનો વ્યવહાર ચલાવવામાં પણ કંઈકને કંઈક અડચણ પડ્યા કરે છે. આ અડચણો પડે છે છતાંય દેરાસર જાય, વિચારો ધર્મના આવે, એને પુણ્યાનુબંધી પાપ કહ્યું છે. પુણ્ય બાંધશે પણ આ દુષમકાળ એવો છે ને કે આ પાપથી જરા મુશ્કેલીઓ આવે છે સાવ શીધી રીતે સમજીએ તો સુખ ભોગવવા પાપ કરે છે અને પાપ થી કમાય લું ધન પણ પાપ જ વહોરી લાવે છે...આમ સુખ ભોગવવા માં પાપ કરી બેશે છે..અને પોતે પાપ માં ધકેલાય જાય છે....
આમ પાપ અને પુણ્ય ને સમજવા જશો તો બધે તમને પાપ અને પુણ્ય દેખાશે અને નહી સમજવું હોય તો નહી સમજાય 
પ્રશ્ન કરતા: સૌથી મોટું પાપ કયું ?
હું :આમ તો પાપ નું કોઈ માપ નથી હોતું કે નાનું ક્યું ,મોટું કયું,કે વધારે કયું,કે ઓછું કયું ....છતાં પણ દુનિયા માં સૌથી મોટું અને વધારે પાપ લોકો પ્રેમ માં કરતા હોય છે .પ્રેમ ને વિશ્વાસ આપી તેને દુઃખ ના મહા સાગર માં ધકેલ તા હોય છે.તમારા માટે કોઈ એક વ્યક્તિ પણ એની આંખ માંથી એક આંસુ જો નીકળ્યું તો સમજો કે તમે તમારા માથે મોટું પાપ વહોરી લીધું
પ્રશ્ન કરતા: તો શું પ્રેમ કરવો પાપ છે..?
હું : ના પ્રેમ કરવો પાપ નથી પણ પ્રેમ ને ના સમજવો અને બીજા ને તકલીફ આપવી ,નફરત કરવી,અને દુઃખ આપવું યે ગુનો છે..અને યે પાપ છે..
પ્રશ્ન કરતા: તો કોઈ પાત્ર મજબૂરી માં અલગ થાય તો પાપ કોને લાગે?
હું: પ્રેમ  માં કોઈ મજબૂરી આવતી જ નથી બસ પ્રેમ ને પ્રેમ જ કરો અને જો કોઈ પ્રેમ માં મજબૂરી બતાવે છે તો યે જાતે પાપ કર્મ કરે છે..
પ્રેમ માં ખાલી ચાહવું જ હોય છે અને યે પણ પોતાના આત્મા થી દિલ થી જ પ્રેમ કરવાનો હોય છે ત્યાં થોડો કોઈ જગ જાહેર કરવાનો હોય અને જે દેખાવો કરતા હોય છે તે જ પ્રેમ ને સમજી કહેતા નથી અને પાપ ના દ્વારે જાય છે..
પ્રશ્ન કરતા:સમજાય ગયું પાપ થી બચવા ખાલી પ્રેમ જ કરાય કોઈ ને કોઈ પણ વાત નું કે શબ્દનું  દુઃખ ના આપાય બરાબર ને...
હું :હા બસ ખાલી બધાને પ્રેમ કરો આ પૃથ્વી પર જે પણ છે યે બધા ને પ્રેમ કરો ..પ્રેમ વિશે વધુ જાણવા માટે મારી બુક છે પ્રેમ ની પરિભાષા 1 વાચી લેજો પ્રેમ સમજાય જશે..
પ્રશ્ન કરતા: પાપ નું સમાધાન તો પ્રેમ  જ છે...તો શું પુણ્ય મેળવવા પ્રેમ નું મહત્વ ખારું?
હું:જ્યારે તમારા આત્મ માં તમારા સ્વભાવ માં પ્રેમ હશે તો ...પાપ તમે કરી નહી સકો અને જો તમારી પાછે પાપ ન હોય તો તમારી પાછે શું વધ્યું... બોલો?
પ્રશ્ન કરતા: બરાબર જયારે પાપ 0% હસે તો જીવન માં પુણ્ય જ હસે અને પુણ્ય હસે તો સુખ હસે...
પ્રશ્ન કરતા: એક સવાલ હજી બાકી છે..તો છું દાન 
કરવાથી પાપ ધોવાય ખરા ?અને પુણ્ય મળે ખરા ?
હું :ના દાન કરવાથી ના તો પાપ ધોવાય કે ના પુણ્ય મળે ,..
અને આના વિશે હું આગળ બતાવીશ...તમારો કોઈ પ્રશ્ન હોય તો પૂછી સકો છો હું તમારો મિત્ર છું....
રાધે રાધે..

પ્રેમ થી સમજીએ

                પ્રેમ થી સમજીએ..આ દેહ 
   પ્રેમની ની શોધ માં હવે પ્રેમ થી મનુષ્ય ની વ્યથા વિશે કહાની સમજીએ..
 આજ સુધી કેટલાય જન્મોમાં કુટુંબ-પરિવાર તમે બનાવ્યા, સજાવ્યા, શણગાર્યા. એ બધા મોતના એક ઝાટકાથી ભાંગી પડ્યા. આથી હવે કુટુંબનો મોહ મનમાંથી દૂર કરો.અને સાચા પ્રેમ ને સમજો કુટુંબ માં કોઈ મોહ ના રાખ વાનો અને જો પોતાનો મોહ હોય..
જો શરીરની ઇજ્જત-આબરૂની ઇચ્છા હશે, શરીરના માન અને મોભાની આકાંક્ષા હશે તો આધ્યાત્મિક માર્ગમાં અડચણ બની જશે. ફેંકી દો શરીરની મમતાને. નિર્દોષ બાળક જેવા બની જાઓ. શરીરને ઘણું સંભાળ્યું. કેટલીય વાર એને નવડાવ્યું, કેટકેટલું એને ખવડાવ્યું, પિવડાવ્યું, કેટલીય વાર ફરવા લઈ ગયા પરંતુ એ શરીર હંમેશાં ફરિયાદ કરતું જ રહ્યું. ક્યારેક બીમારી તો ક્યારેક અનિદ્રા, ક્યારેક સાંધાનો દુખાવો તો ક્યારેક માથાનો દુખાવો, ક્યારેક કબજિયાત તો ક્યારેક અપચો. શરીરની ગુલામી ખૂબ કરી. હવે મનોમન શરીરની મુસાફરી કરી દો પૂરી. શરીરને ક્યાં સુધી ‘હું’  જ  છું  એવું માનતા રહેશો મનોમન દ્રઢ ભાવના કરો અને અનુભવ કરો કે તમારું શરીર દરિયા કિનારે ફરવા ગયું છે. એક બાંકડા પર બેઠું બેઠું લહેરાતા સાગરનું સૌંદર્ય નિહાળી રહ્યું છે. આવી ગયો કોઈ અંતિમ ઝટકો. તમારી ડોક ઢળી ગઈ. તમે મરી ગયા...ઘરમાં જ હતા ને માથું દુખ્યું. પેટમાં કંઈ ગડબડ થઈ. તાવ આવ્યો અને તમે મરી ગયા…… તમે લખતાં લખતાં અચાનક બેબાકળા થઈ ગયા. થઈ ગયું ‘હાર્ટ ફેલ.’તમે મરી ગયા... તમે પૂજા કરતાં કરતાં, અગરબત્તી કરતાં કરતાં એકદમ લાંબા થઈને સૂઈ ગયા. પતિ ને, પત્નીને, કુટુંબીજનોને, મિત્રોને બૂમ પાડી બોલાવ્યા. એ લોકો આવ્યા. પૂછ્યું : ‘શું થયું... શું થયું ?’ થોડીક મિનિટોમાં જ તમે મરી ગયા...
તમે રસ્તે જઈ રહ્યાા હતા. એકાએક કોઈ ઘટના બની. અકસ્માત થયો અને તમે મરી ગયા... કંઈ ને કંઈ નિમિત્ત જરૂર બની જશે તમારા મોતનું. તમને ખબર પણ નહિ પડે. આથી મોતથી પહેલાં એક વખત સાચો પ્રેમ કરી લો કા તો  ઈશ્વરના માર્ગે ચાલી જુઓ. મરી જતાં પહેલાં એક વખત દેહ  મારી જુઓ. વિસર્જન થતાં પહેલાં એક વખત વિસર્જિત થઈ જુઓ.
દ્રઢતાપૂર્વક નિશ્ચય કરો કે આ તમારી જે વિશાળ કાયા છે, રૂપકડો જે દેહ છે, જેનાં નામ અને રૂપને તમે ‘હું’માનીને સંભાળી રહ્યા છો એ તમારી કાયાનો, એ તમારા દેહનો અભાસ આજે તોડવો છે. સાધના અને પ્રેમના ઊંચા શિખરે પહોંચવામાં એ અડચણરૂપ છે. દેહની આ મમતાથી પાર થવું જ પડશે. જ્યાં સુધી દેહની મમતા રહેશે ત્યાં સુધી કરેલાં કર્મો બંધનરૂપ બની રહેશે. જ્યાં સુધી દેહમાં આસક્તિ રહેશે ત્યાં સુધી વિકારો તમારો પીછો નહિ છોડે. ભલે તમે લાખ ઉપાયો અજમાવી લો, જ્યાં સુધી દેહ નિવૃત્ત નહિ થાય ત્યાં સુધી પ્રભુનાં ગીત નહિ ગુંજે. જ્યાં સુધી તમે પોતાને શરીર માનતા રહેશો ત્યાં સુધી બ્રહ્મસાક્ષાત્કાર નહિ થઈ શકે. જ્યાં સુધી તમે પોતાને હાડ-માંસ, રક્ત- ત્વચા, મળ-મૂત્ર-વિષ્ટાનો થેલો માનતા રહેશો ત્યાં સુધી દુર્ભાગ્યથી પિંડ નહિ છૂટે. સૌથી મોટું દુર્ભાગ્ય છે જન્મવું અને મરવું. હજા૨ો સુખ- સગવડનાં સાધનો વચ્ચે ભલે કોઈ જન્મ લે. તેથી શું ફરક પડવાનો છે ? એ બિચારાને દુઃખો સહેવાં જ પડે છે.હૃદયપૂર્વક, પ્રામાણિકતાથી પ્રભુને પ્રાર્થના કરો કે : ‘હે પ્રભુ !હે દયાના સાગર ! તારા દ્વારે આવ્યા છીએ. તારી પાસે કશાની ખોટ નથી. તું અમને બળ આપ, તું અમને હિંમત આપ કે તારા માર્ગે ડગ માંડ્યાં છે તો અમે આખરે પહોંચીને જ રહીએ. હે મારા પ્રભુ ! દેહની મમતા તોડીને અમે તારાં ચરણોમાં અમારા દિલને જોડી દઈએ.’આજ સુધી આગળના કેટલાય જન્મોમાં તમારાં પિતાઓ હશે, માતાઓ હશે, કેટલાંય સગાં-સંબંધીઓ હશે, એમનાથી પહેલાંય કોઈક હશે... અને એમનાથી પહેલાં પણ કોઈક હશે. દેહ સાથે તમારી આસક્તિ જેટલી પ્રગાઢ હશે એટલો સગાઈ-સંબંધોનો બોજો તમારા પર વધારે રહેશે. દેહની આસક્તિ જેટલી ઓછી હશે એટલો બોજો હલકો રહેશે. અંદરથી દેહની અહંતા તૂટી જાય તો બહારની મમતા તમને ફસાવવા સમર્થ નહિ થાય. અંદરથી દેહની આસક્તિ તૂટી જાય તો બહારની મમતા તમારા માટે રમત બની જશે. પછી તો તમારા જીવનમાં જીવન્મુક્તિનાં ગીત ગુંજવા લાગશે. બધે પ્રેમ દેખાશે....જીવન્મુક્ત પુરુષ  કે સ્ત્રી બધાની વચ્ચે રહેતાં, બધું જ કરવા છતાં સુખપૂર્વક જીવે છે, સુખપૂર્વક ખાય-પીવે છે, સુખપૂર્વક આવે છે, સુખપૂર્વક સ્વસ્વરૂપમાં સમાય છે.માત્ર દેહ નો મોહ દૂર કરવાનો છે. દેહાધ્યાસ દૂર થઈ જાય તો મમતા પણ દૂર થઈ જાય. દેહાધ્યાસ હટાવવા માટે, દેહમાં થઈ ગયેલી અહંતા હટાવવા માટે આજે સ્મશાનયાત્રા કરી લો. જીવતાં જ મરી જાઓ  થોડીવાર માટે. આજે મોતને આમંત્રણ આપો ઃ ‘હે મોત ! તું આજે આ શરીર ઉપર ઊતર.’કલ્પના કરો કે તમારા શરીર ઉપર આજે મોત આવી રહ્યું છે. તમારું શરીર ઢીલું થઈ ગયું. કોઈક નિમિત્તથી તમારા પ્રાણ ચાલ્યા ગયા. તમારું શબ પડ્યું છે. જેને આજ સુધી લોકો ‘ફલાણા ફલાણા  ફલાણા .. ’ કહેતા હતા, એનું પ્રાણપંખેરું ઊડી ગયું. એ હવે લોકોની નજરે મડદું થઈને પડ્યું છે. વૈદ, ડોક્ટર, હકીમોએ હાથ ધોઈ નાખ્યા છે. જેને તમે આટલું પાળતા-પોષતા હતા, સજાવતા-શણગારતા હતા, ખવડાવતા-પિવડાવતા હતા, જેની ઇજ્જત-આબરૂની કાળજી રાખતા હતા એ શરીર આજે મરી ગયું. પડ્યું છે સામે. તમે એને જોઈ રહ્યા છો. લોકો ટોળે વળ્યા છે. કોઈ ખરેખર આંસુ સારી રહ્યા છે અને કોઈ કોઈ રડવાનો અભિનય કરી રહ્યા છે.
તમે મરી ગયા. શબ પડ્યું છે. લોકો આવ્યા, મિત્રો આવ્યા, પડોશીઓ આવ્યા, સાથીઓ આવ્યા, સ્નેહીઓ આવ્યા, ટેલિફોનની ઘંટડીઓ રણકી રહી છે, તાર કરવામાં આવે છે, સંદેશવાહકો મોકલવામાં આવે છે. મૃત્યુ થતાં જે થવું જોઈએ એ બધું જ કરવામાં આવે છે.આ અંતિમ પ્રેમ છે દેહની, જેને પાર કર્યા વિના કોઈ યોગી સિદ્ધ નથી થઈ શકતો, કોઈ સાધક પૂર્ણ સૌભાગ્યને ઉપલબ્ધ નથી થઈ શકતો. આ છેલ્લી અડચણ છે એને દૂર કરો.
 તમારું શરીર પડી ગયું, ઢળી પડ્યું, થઈ ગયું ‘તમે મરી ગયા. લોકો ભેગા થઈ ગયા.ઠાઠડી માટે વાંસડા મંગાવાઈ રહ્યા છે. તમને નવડાવવા માટે ઘરની અંદર લઈ જવામાં આવે છે. લોકોએ તમારા શરીરને ઉપાડ્યું. તમારી  ડોક લટકી પડી. હાથ-પગ લબડી રહ્યા છે. લોકો તમને સંભાળીને લઈ જાય છે. તમારા શબને નવડાવે છે. પરંતુ...અરે મનુષ્ય! એ ચમકારો ક્યાં...? એ પ્રકાશ ક્યાં ? એ ચેતના ક્યાં...? જે શરીર માટે કેટકેટલું કમાયા, કેટકેટલું ખાધું, કેટકેટલું પાળ્યું- પોપ્યું, શણગાર્યું–સજાવ્યું, કેટકેટલું એને બતાવ્યું, સંભળાવ્યું એ શરીર આજે શરીર ન રહ્યું, શબ બની ગયું. હવે એક શ્વાસ લેવો પણ એના હાથની વાત ન રહી. મિત્રને ધન્યવાદ આપવો કે પ્રેમી થી વાત કરવી કે કોઈ થી માફી માગવી એના હાથની વાત ન રહી. એક સંત-મહાત્માને પ્રણામ કરવાં એના હાથની વાત ન રહી.આજે એ પરાધીન શરીર બિચારું, શબ બિચારું ચાલી નીકળ્યું આ જગતમાંથી. જેના ઉપર આટલાં ‘ટેન્શન’ હતાં, જે જીવન માટે આટલી ખેંચતાણ હતી, આટલી ચિંતાઓ હતી એ જીવનની આ હાલત ? જે શરીર માટે આટલાં પાપ કર્યાં, આટલા સંતાપ સહ્યા કોઈ નું ખોટું કર્યું ,કોઈ નું દિલ દુઃખવ્યું,કોઈ ને ધોકો આપ્ય એ શરીર આજે આ હાલતમાં પડી રહ્યું છે ! જોઈ લો જરા જ્ઞાનની આંખથી તમારા શરીરની આ હાલત. લાચાર પડ્યું છે. આજ સુધી જે ‘હું... હું...’ કરી રહ્યું હતું, પોતાને બરાબર માની રહ્યું હતું, ડાહ્યું માની રહ્યું હતું, ચતુર સમજી રહ્યું હતું, જોઈ લો એ ચતુરની હાલત. એની બધી જ ચતુરાઈ ધૂળમાં મળી ગઈ. બધું જ જાણેલું અજાણ્યું થઈ ગયું. બધું જ જ્ઞાન એક ઝાટકામાં સમાપ્ત થઈ ગયું. બધા સંબંધો કપાઈ ગયા. ધન અને પરિવાર પારકાં થઈ ગયાં.
જેના માટે તમે કેટલીય રાત્રિઓ જાગ્યા હતા, જેના માટે માથે બોજા ઉપાડ્યા હતા એ બધા જ હવે પારકા થઈ ગયા .. ! જેના માટે તમે પીડાઓ ભોગવી એ બધા હવે તમારા કંઈ જ થતા નથી. તમારા વહાલા શરીરની આ હાલત !!કુટુંબીઓ, મિત્રોના હાથે તમને નવડાવવામાં આવે છે. શરીર લૂછ્યું, ન લૂછ્યું, ટુવાલ ફેરવ્યો, ન ફેરવ્યો ને તમને કપડાં પહેરાવી દીધાં. શબને ઉપાડીને તેઓ વાંસડાની ઠાઠડી પર સુવડાવે છે. 
હવે જુઓ તમારા શરીરની હાલત. જેના માટે તમે મોટી મોટી કમાણીઓ કરી, મોટી મોટી વિદ્યાઓ ભણ્યા, ડિગ્રીઓ ભેગી કરી, કેટલીય જગ્યાએ લાચારી કરી, તુચ્છ જીવન માટે ગુલામી કરી, કેટલાયને સમજાવ્યા, સંભાળ્યા એ શરીર પ્રાણપંખેરું ઊડી જવાથી પડ્યું છે ઠાઠડી પર.જીવતાં જ મરવાનો આ પ્રયોગ કરી લો. આમેય તમારું શરીર મરેલું જ છેને ! એમાં દાટ્યું પણ શું છે ?ઠાઠડી ઉપર પડેલા શબ ઉપર લાલ કપડું બાંધવામાં આવી રહ્યું છે. લટકી પડેલી ડોકને વ્યવસ્થિત કરવામાં આવે છે. પગને કાથીથી બરાબર બાંધવામાં આવે છે કે જેથી રસ્તામાં મડદું ક્યાંક પડી ન જાય. ગળાની આસપાસ પણ દોરીના આંટા મારવામાં આવે છે. આખું શરીર કાથી વડે ગુંથી લેવામાં આવે છે. ઠાઠડી બનાવનાર કહી રહ્યો છે : ‘તું ત્યાંથી ખેંચ. ’ બીજો કહે છે : ‘મેં ખેચ્યું છે. તું ત્યાં ગાંઠ માર.’અરે પણ એ ગાંઠો ક્યાં સુધી રહેશે ? દોરી ક્યાં સુધી રહેશે ? હમણાં જ બળી જશે... અને દોરીઓ વડે બંધાયલો પણ બળવા માટે જ જઈ રહ્યો છે  !ધિક્કાર છે આ નશ્વર જીવનને ! ધિક્કાર છે આ નશ્વર દેહ ના મોહ ને ! ધિક્કાર છે દેહાધ્યાસ અને દેહાભિમાનને !ઠાઠડીને કસીને બાંધવામાં આવે છે. આજ સુધી તમારું નામ ‘શેઠ’ અને ‘સાહેબ’ બેન ,સર, કે ભાઈ ના લિસ્ટમાં હતું. હવે એ ‘મડદા’ના લિસ્ટમાં આવી ગયું. લોકો કહે છે : ‘મડદાને બાંધો જલદીથી.’ હવે એવું નહિ કહે ‘શેઠને, સાહેબને, નોકરને, સંતને, અસંતને બાંધો. ’તેઓ કહેશે ‘મડદાને બાંધો.’
આવી ગયો તમારા આખા જીવનની ઉપલબ્ધિઓનો અંત. આજ સુધી તમે જે કમાયા એ તમારું ન રહ્યું. આજ સુધી તમે જે જાણ્યું હતું એ મૃત્યુના એક જ ઝટકાથી છૂટી ગયું. તમારા ઈન્કમટેક્ષનાં કાગળિયાંઓને, તમારાં ‘પ્રમોશન’અને ‘રિટાયરમેન્ટ’ની બાબતોને, તમારી ઉપલબ્ધિ અને અનુપલબ્ધિઓને સદાય માટે વિદાય થવું પડ્યું.હાય રે હાય મનુષ્ય તારા શ્વાસ ! વાહ રે વાહ તારી કલ્પના ! હાય રે હાય તારી નશ્વરતા ! વાહ રે વાહ મનુષ્ય તારી વાસનાઓ ! આજ સુધી ઇચ્છાઓ સેવી રહ્યો હતો કે આટલું મેળવ્યું છે અને હજી આટલું મેળવીશ... આટલું જાણ્યું છે ને હજી આટલું જાણીશ... આટલાને પોતાના કર્યા છે ને હજી આટલાને પોતાના કરીશ. . . આટલાને સુધાર્યા છે ને હજી બીજાને સુધારીશ.
અરે ! તું પોતાને તો સુધાર ! પોતાને મોતથી તો બચાવ ! જન્મ- મરણના ચક્કરમાંથી તો છોડાવ ! જોઈએ આગળ તમારું શબ બંધાઈ રહ્યું છે. તમે ઠાઠડી સાથે એક થઈ ગયા છો. સ્મશાનયાત્રાની તૈયારી થઈ રહી છે. લોકો રડી રહ્યા છે. ચાર માણસો તમને ઉપાડીને ઘરથી બહાર લઈ જઈ રહ્યા છે. પાછળ પાછળ બીજા બધા લોકો ચાલી રહ્યા છે. કોઈ હૃદયપૂર્વક સ્મશાનયાત્રામાં આવ્યા છે અને કોઈ માત્ર દેખાવ કરવા આવ્યા છે. કોઈરિવાજ નિભાવવા આવ્યા છે કે સમાજમાં બેઠા છીએ તો...પાંચ-દસ જણ સેવા કરવાના ઈરાદાથી આવ્યા છે. એમને ખબર નથી કે  ! તમારી પણ આવી જ હાલત થશે. પોતાને ક્યાં સુધી સારા ગણાવશો ? સમાજમાં પોતાને ક્યાં સુધી ‘સેટ’ કરતા રહેશો ? ‘સેટ’ કરવા જ ઇચ્છતા હો તો પોતાને પરમાત્મામાં ‘સેટ’ કેમ નથી કરતા સાચો પ્રેમ કેમ સમજતા નથી..બીજાઓની સ્મશાનયાત્રામાં જવાનું નાટક કરો છો ? પ્રામાણિકતાથી સ્મશાનયાત્રાઓમાં જવાનું રાખજો. પોતાના મનને સમજાવતા રહેજો કે તારી પણ આવી જ હાલત થવાની છે. તું પણ આ જ પ્રમાણે ઊપડવાનો છે, આ જ પ્રમાણે જવાનો છે. ઓ બેઈમાન. ...મન ! તું ઠાઠડી વખતે પણ ઈમાનદારી નથી રાખતું ? ઉતાવળ કરાવે છે ? ઘડિયાળ જોતું રહે છે ? ‘ઓફિસે જવું છે... દુકાને જવું છે...’ અરે ! આખરે તો સ્મશાનમાં જ જવાનું છે એ પણ તું જરા સમજી લે. ઓફિસે જા, દુકાને જા, સિનેમામાં જા, ક્યાંય પણ જા, આખરે તો તું મશાણમાં જ જવાનો છે. તું બહાર કેટલે સુધી જઈશ ?
અરે પાગલ મનુષ્ય ! ઓ માયાનાં રમકડાં ! સદીઓથી માયા તને નચાવતી આવી છે. તું ઈશ્વર માટે ન નાચ્યો, પરમાત્મા માટે ન નાચ્યો તો માયા તને નચાવતી રહેશે. તું પ્રભુપ્રાપ્તિ માટે ન નાચ્યો તો માયા તને કેવી કેવી યોનિઓમાં નચાવશે ? ક્યારેક વાંદરાનું શરીર મળશે તો ક્યારેક રીંછનું, ક્યારેક ગંધર્વનું શરીર મળશે તો ક્યારેક વળી ગધેડાનું, ક્યારેક કિન્નરનું તો ક્યારેક વળી કૂતરાનું. પછી એ શરીરોને તું ‘હું’ માનીશ. કોઈને પ્રેમી,તો કોઈ ને પ્રેમિકા,કોઈ ને પોતાની મા, માનીશ તો કોઈને બાપ, કોઈને બેટો માનીશ તો કોઈને બેટી,તો કોઈ ને પતિ કે પત્ની, કોઈને કાકા માનીશ તો કોઈને કાકી. એ બધાંને તું પોતાનાં કરીશ. પછી ત્યાં પણ એક ઝાટકો આવશે મોતનો અને એ બધાંને છોડવાં પડશે, પારકાં કરવાં પડશે. આવી મુસાફરીઓ તું કેટલાય યુગોથી કરતો આવ્યો છે  ! આવા સંબંધો તું કેટલાય સમયથી ગોઠવતો આવ્યો છે.
‘મારા દીકરાનાં લગ્ન થઈ જાય... વહુ મારા કહ્યામાં રહે.. મારો નોકર વફાદાર રહે... દોસ્તોનો પ્યાર ટકી રહે...' ધારો કે આ બધું થઈ જાય તોય છેવટે ક્યાં સુધી ? ‘પ્રમોશન મળી જાય...’ મળી ગયું પ્રમોશન. પછી શું ? ‘લગ્ન થઈ જાય...’થઈ ગયાં લગ્ન. પછી શું ? ‘બાળક થઈ જાય...' બાળકો પણ થયાં. પછી શું કરશો ? છેવટે તમે પણ આ પ્રમાણે ઠાઠડીમાં બંધાશો. આ જ પ્રમાણે તમને ખભા ઉપર ઉપાડવામાં આવશે. છેવટે તમારા શરીરની જે હાલત થવાની છે એ જરાક જોઈ લો.આ સનાતન સત્યથી કોઈ બચી શકતું નથી. તમારા લાખો રૂપિયા તમને મદદ નથી કરી શકતા. તમારા લાખો પરિચયો તમને બચાવી નથી શકતા. આ પ્રક્રિયામાંથી તમારે પસાર થવું જ પડશે. બીજી બધી જ ઘટનાઓથી તમે બચી શકો છો પરંતુ આ ઘટનામાંથી તમને બચાવનાર આ પૃથ્વી પર આજ સુધી કોઈ થયું નથી અને થશે પણ નહિ. આથી આ અનિવાર્ય મોતને તમે અત્યારે જ જ્ઞાનની આંખ દ્વારા નિહાળી લો.તમારા પ્રાણહીન દેહને ઠાઠડીમાં બાંધીને લોકો લઈ જઈ રહ્યા છે સ્મશાન તરફ. લોકોની આંખોમાં આંસુ છે. એ આંસુ વહાવનારા પણ બધા આ જ પ્રમાણે જવાના છે. આંસુ વહાવવાથી જીવ નહિ બચે, આંસુ રોકવાથી પણ જીવ નહિ બચે. શબને જોઈને ભાગી જવાથી પણ જીવ નહિ બચે અને શબને વળગી પડવાથી પણ જીવ નહિ બચે. જીવ તમારો ત્યારે જ બચશે કે જ્યારે તેમને પ્રેમ થશે અને  આત્મસાક્ષાત્કાર થશે. જીવ તમારો ત્યારે જ બચશે કે જ્યારે સંત-મહાત્માનો કૃપા- પ્રસાદ તમને પચી જશે. જીવ તમારો ત્યારે જ બચશે કે જ્યારે ઈશ્વર સાથે તમારી એક થશે.. ! તમે આ મોતની દુર્ઘટનાથી કદી બચી નથી શકતા. આ કમ નસીબીથી આજ સુધી કોઈ નથી બચી શક્યું. आया है सो जायेगा, राजा रंक फकीर ।
કોઈની ઠાઠડી સાથે પચાસ માણસો હોય કે પાંચસો માણસો હોય, કોઈની ઠાઠડી સાથે પાંચ હજાર માણસો હોય કે માત્ર પાંચ માણસો હોય. એનાથી શું ફરક પડવાનો છે ? આખરે તો એ ઠાઠડી ઠાઠડી જ છે, શબ શબ જ છે.તમારા શબને ખભા ઉપર ઉપાડીને લઈ જવામાં આવે છે. કોઈએ એના પર ગુલાલ છાંટ્યો છે. કોઈએ ગલગોટાનાં ફૂલ મૂક્યાં છે. કોઈએ ફૂલનો હાર પહેરાવ્યો છે. કોઈ તમારી સાથે વિશેષ વ્યવહાર નિભાવે છે તો તમારા પર અત્તર છાંટે છે, ‘સ્પ્રે’ કરે છે. હવે શું ફરક પડવાનો છે અત્તરથી ? ‘સ્પ્રે’તમને હવે શું કામ લાગશે ....
શબ ઉપર ભલે ઈંટ-પથ્થર નાખી દો કે સોનાની ઈમારત ઊભી કરી દો, એના ઉપર ફૂલો ચડાવી દો કે હીરા-ઝવેરાત ન્યોચ્છાવર કરી દો. હવે એનાથી શું ફરક પડે છે ?ઠાઠડી ઘરથી બહાર જઈ રહી છે. લોકો ઠાઠડીને ઘેરી વળ્યા છે. ચાર જણે ખભા ઉપર ઠાઠડી ઉપાડી છે. બીજા ચાર એમની સાથે છે. ‘રામ બોલો ભાઈ રામ... રામ બોલો ભાઈ રામ...' તમારી સ્મશાનયાત્રા થઈ રહી છે જે ઘર માટે તમે કેટકેટલા ‘પ્લાન’ બનાવ્યા હતા એ ઘરથી તમે હવે જઈ રહ્યા છો... એ દ્વારથી તમે સદાયને માટે વિદાય લઈ રહ્યા છો... જે ઘરને બનાવવા માટે ઈશ્વરીય ઘરનો ત્યાગ કરી બેઠા હતા, જે ઘરને નિભાવવા માટે તમે પોતાના પ્યારા પરમાત્માના ઘરનો તિરસ્કાર કરી બેઠા હતા એ ઘરેથી તમે મડદાના રૂપમાં કાયમ માટે વિદાય લઈ રહ્યા છો. ઘરની દીવાલો ભલે રડતી હોય કે હસતી હોય, તમારે તો જવું જ પડે છે સમજુ લોકો કહી રહ્યા છે કે ‘શબને જલદી લઈ જાઓ. રાતનો મરેલો છે કા તો મરેલી છે તેથી જલદી લઈ જાઓ. નહિતર એનાં ‘વાયબ્રેશન’, એના જીવાણુઓ (બેક્ટેરિયા) ફેલાઈ જશે. બીજા લોકો બીમાર પડશે.’હવે તમને ઘડીભર રાખવાની કોઈની હિંમત નથી. ચાર દિવસ સંભાળવાનું સાહસ કોઈનામાં નથી. બધા પોતપોતાની જિંદગી જીવવા માગે છે. તમને બહાર કાઢવા માટે ઉત્સુક છે સમજુ લોકો. ‘જલદી કરો. સમય થઈ ગયો. ક્યારે પહોંચશો ? જલદી કરો જલદી કરો  !' આવાં સૂચનો અપાઈ રહ્યાં છે.
તમે ક્યાં સુધી ઘરને ચોંટ્યા રહેશો ? છેવટે લોકો તમને બાંધી- જકડીને જલદીથી સ્મશાનમાં જ લઈ જશે.
દેહ નો મોહ તોડવો પડશે. આ મોહ કારણે તમે ફસાઈ ગયા છો. આ મોહ ના કારણે તમે જન્મ-મરણના ચક્કરમાં ફસાયા છો. આ મોહ તમારે તોડવો પડશે. ભલે આજે તોડો કે એક જન્મ પછી તોડો અથવા એક હજાર જન્મ પછી તોડો.
લોકો તમને ખભા પર ઉપાડીને લઈ જઈ રહ્યા છે. તમે ખૂબ દૂધ- મલાઈ, માખણ-ઘી ખાધાં હશે તો ચરબી વધારે હશે. એનાથી લોકોને પરિશ્રમ વધારે પડશે અને ચરબી ઓછી હશે તો લોકોને પરિશ્રમ ઓછો પડશે. ગમે તે હોય, તમે તો અત્યારે ઠાઠડી પર આરૂઢ થઈ ગયા છો.યારો ! हम बेवफाई करेंगे. तुम होगे हम कंधे चलेंगे ।
हम पड़े रहेंगे तुम धकेलते चलोगे। यारो ! हम बेवफाई करेंगे | તમે લોકોના ખભે ચઢીને ત્યાં જઈ રહ્યા છો કે જ્યાં બધાએ અવશ્ય જવાનું છે. ‘રામ બોલો ભાઈ રામ... રામ બોલો ભાઈ રામ... રામ બોલો ભાઈ રામ.'ઠાઠડીવાળા ઝડપથી જઈ રહ્યા છે. એમની પાછળ પચાસ, સો માણસો જઈ રહ્યા છે. તેઓ અંદરોઅંદર વાતચીત કરી રહ્યા છેઃ ‘ભાઈ  કે બહેન સારા હતા... માલદાર હતા... સુખી હતા...’ અથવા ‘ભાઈ ગરીબ હતા... દુખી હતા... બિચારા જતા રહ્યા...'એ મૂર્ખાઓને ખબર નથી કે આપણે પણ આ જ રીતે જવાના છીએ. એ તમારા ઉપર દયા ખાઈ રહ્યા છે ને પોતાને શાશ્વત માની રહ્યા છે નાદાન! ઠાઠડી રસ્તા પર આગળ વધી રહી છે. બજારના લોકો બજાર તરફ દોડી રહ્યા છે. નોકરીવાળા નોકરી તરફ દોડી રહ્યા છે. તમારા શબ ઉપર કોઈની નજર પડે છે તો ક્ષણવાર ‘ઓ... હો’ કરીને વળી પાછા પોતાના કામ તરફ, પોતાના વ્યવહાર તરફ ભાગવા માંડે છે. એમને ખયાલ નથી આવતો કે હું પણ આ પ્રમાણે જવાનો છું. હું પણ મોતને ભેટવાનો છું. સાઈકલ, સ્કૂટર, મોટરમાં સવાર થયેલા લોકો સ્મશાનયાત્રા જોઈને ‘આહા...ઊહૂ’ કરતા આગળ ભાગી રહ્યા છે
 વ્યવહારને સંભાળવા માટે કે જેને છોડીને મરી જવાનું છે. છતાંય બધા એ વ્યવહાર તરફ જ જઈ રહ્યા છે.હવે તમે ઘર અને સ્મશાન વચ્ચેના રસ્તા પર છો. ઘર દૂર સરકતું જાય છે... સ્મશાન નજીક આવતું જાય છે. ઠાઠડી સ્મશાન પાસે પહોંચી. એક જણ સ્કૂટર લઈને ભાગ્યો અને સ્મશાનમાં જઈને લાકડાંની વ્યવસ્થા કરવા લાગ્યો. સ્મશાનવાળાને એ કહી રહ્યો છે : ‘લાકડાં આઠ મણ તોળો... બાર મણ તોળો... સોળ મણ તોળો. મરનાર સજ્જન હતા, સારા હતા તેથી લાકડાં વધારે વપરાઈ જાય તો કાંઈ વાંધો નહિ.' જેવી જેની પરિસ્થિતિ હોય છે એ પ્રમાણે લાકડાં ખરીદવામાં આવે છે. હવે શબ આઠ મણ લાકડાંમાં બળે કે અઢાર મણ લાકડાંમાં બળે, તેથી શું ફેર પડે છે ? ધન વધારે હશે તો દસ મણ લાકડાં વધારે આવશે અને ધન ઓછું હશે તો બે-પાંચ મણ લાકડાં ઓછાં આવશે. એથી શું ફેર પડવાનો છે હવે ? તમે તો દોસ્ત ! થઈ ગયા પારકા.હવે સ્મશાન બિલકુલ નજીક આવી ગયું છે. શુકન કરવા માટે ત્યાં બાળકોના વાળ વિખેરવામાં આવે છે. સાથે લાડુ લાવ્યા હતા એ કૂતરાને ખવડાવવામાં આવે છે.જેમને ખૂબ ઉતાવળ છે એ લોકો ત્યાંથી જ સરકીને જઈ રહ્યા છે. બાકીના લોકો તમને ત્યાં લઈ જાય છે કે જ્યાં બધાને જવાનું જ છે.
લાકડાં ગોઠવવાવાળા ત્યાં લાકડાં ગોઠવી રહ્યા છે. બે-પાંચ મણ લાકડાં નીચે ગોઠવવામાં આવ્યાં. એના ઉપર તમારા શબને લોકો મૂકી રહ્યા છે. બોજો ખભેથી ઊતરીને હવે લાકડાં ઉપર પડી રહ્યો છે. ત્યાં પણ બોજો કેટલીવાર સુધી રહેશે ભાઈ !
ઘાસના પૂળા, નાળિયેરની કાચલી, માચીસ, ઘી અને દીવેટ તૈયાર કરવામાં આવે છે. તમારું અંતિમ સ્વાગત કરવા માટે આ ચીજો અહીં લાવવામાં આવી છે. અંતિમ વિદાય....
આ શરીરને તમે હલવો-પૂરી ખવડાવીને પાળ્યું કે લૂખી-સૂકી રોટલી ખવડાવીને ટકાવ્યું તેથી હવે શું ફરક પડે છે ? ઘરેણાં પહેરીને જીવ્યા કે ઘરેણાં વગર જીવ્યા તેથી શું ફરક પડે છે ? આખરે તો એની સંભાળ અગ્નિ દ્વારા લેવામાં આવશે. માચીસ દ્વારા તમારું સ્વાગત કરવામાં આવશે.આ શરીર માટે તમે કેટકેટલાં પાપ કર્યાં ? કેટકેટલા સંતાપ સહ્યા ? આ શરીર માટે તમે કેટલાય લોકોનાં દિલ દુભાવ્યાં ? આ શરીર માટે જ તમે પરમેશ્વર સાથેનો સંબંધ તોડ્યો હતોને.જુઓ, હવે શું થઈ રહ્યું છે ? ચિતા ઉપર પડ્યું છે તમારું શરીર. એના ઉપર મોટાં મોટાં લાકડાં ગોઠવાઈ રહ્યાં છે. આગ જલદી લાગે એટલા માટે સાથે સાથે નાનાં લાકડાં પણ મૂકવામાં આવે છે.બધાં જ લાકડાં ગોઠવાઈ ગયાં. વચ્ચે વચ્ચે ઘાસ પણ રાખવામાં આવ્યું છે કે જેથી કોઈ ભાગ કાચો ન રહી જાય, માંસનો એક પણ ટુકડો બચી ન જાય.એક માણસ દેખરેખ રાખે છે, ‘મેનેજમેન્ટ’ કરી રહ્યો છે. ત્યાં પણ નેતાગીરી નથી છૂટતી. એની ખોપડીમાં આગેવાની ચાલુ છે. ‘આમ કરો... તેમ કરો...' એ સૂચનાઓ આપી રહ્યો છે.અરે ચતુરાઈ બતાવનારા ! તારું પણ એ જ થવાનું છે. સમજી લે મનુષ્ય મારા ! મડદું બાળવામાં પણ આગેવાની જોઈએ ? ત્યાં પણ કંઈક વિશેષતા જોઈએ ? વાહ વાહ !!હે અજ્ઞાની મનુષ્ય ! તું શું શું ઇચ્છે છે ? હે નાદાન માનવ ! તેં શું શું કર્યું છે ? ઈશ્વર સિવાય તે કેટલાં નાટક કર્યાં ? ઈશ્વરને છોડીને તેં ઘણું બધું પકડ્યું છે. હજારો વખત તારી પાસેથી છોડાવવામાં આવ્યું છે અને આ જન્મમાં પણ છોડાવવામાં આવશે. તું જરાક સાવધાન થઈ જા, મનુષ્ય મારા !ઠાઠડી ઉપર લાકડાં ‘ફીટ’ થઈ ગયાં છે. તમારા પુત્રો, તમારા બાંધવો, તમારા સ્નેહીઓ મનમાં કંઈક ભાવ લાવીને આંસુ સારી રહ્યા છે. કેટલાક સંબંધીઓ આંસુ નથી આવતાં તેથી શરમિંદા થઈ રહ્યા છે. બાકીના લોકો ગપ્પાં મારવા બેસી ગયા છે. કોઈ સ્કૂટરની સફાઈ કરી રહ્યા છે તો કોઈ પોતાનાં કપડાં બદલવામાં વ્યસ્ત છે. કોઈ દુકાને જવાની તજવીજમાં છે તો કોઈ બહારગામ જવાનો કાર્યક્રમ ગોઠવી રહ્યા છે. તમારી ચિંતા કોણ કરે છે ? ક્યાં સુધી લોકો તમારી ચિંતા કરશે ? તમને સ્મશાન સુધી પહોંચાડી દીધા, ચિતા પર સુવડાવી દીધા. દીવાસળી દાનમાં દીધી. વાત પૂરી થઈ ગઈ.લોકો હવે જવા માટે આતુર થયા છે. ‘હવે ચિતાને દીવાસળી ચાંપો. ઘણું મોડું થઈ ગયું. જલદી કરો જલદી કરો...’ ઇશારા થઈ રહ્યા છે. આ મિત્રો જ પહેલાં તમને કહેતા હતા : ‘બેસોને... તમે મારી સાથે જ રહો. તમારા વિના ચેન નથી પડતું. ' હવે તેઓ જ કહી રહ્યા છે : ‘જલદી કરો... આગ લગાડો... અમે હવે જઈએ... જાન છોડો અમારો...’વાહ રે વાહ સંસારના મિત્રો ! વાહ રે વાહ સંસારના સગા- સંબંધીઓ ! ધન્યવાદ... ધન્યવાદ ! તમારી પોલ જોઈ લીધી.પ્રભુને મિત્ર નહિ બનાવો તો આવા જ હાલ થવાના છે. આજ સુધી જે લોકો તમને ‘સાહેબ... શેઠ... દોસ્ત...’કે ..બહેન... કહી રહ્યા હતા, જેઓ તમારા લંગોટિયા મિત્ર હતા તેઓ જ આજે જલદી કરી રહ્યા છે. એ લોકોને ભૂખ લાગી છે. બહાર તો નથી કહેતા પણ અંદર કહી રહ્યા છે કે : ‘હવે વાર ન લગાડો. એમને જલદી સ્વર્ગે પહોંચાડો. માથા તરફથી આગ લગાડો જેથી જલદી સ્વર્ગે જાય.’એ તો શું સ્વર્ગમાં જશે ! એનાં કર્મ અને માન્યતા જેવી હશે એવા સ્વર્ગમાં એ જશે. પરંતુ તમે ભોજનરૂપી સ્વર્ગે જરૂર પહોંચશો. તમને અહીંથી રજા મળશે.
નાળિયેરની કાચલીમાં ઘી નાખે છે. જ્યોત પ્રગટાવે છે. તમારા  જીવનને સદાય માટે નષ્ટ કરવા જ્યોત સળગાવવામાં આવે છે. આ જ્યોત બ્રહ્મજ્ઞાની ગુરુની નથી, સદ્ગુરુની જ્યોત નથી. આ તમારા મિત્રોની જ્યોત છે. જેમના માટે તમે પોતાનું સમગ્ર જીવન ખોઈ રહ્યા હતા એ લોકો તમને આવી જ્યોત આપશે. જેમની પાસે જવા માટે તમારી પાસે સમય ન હતો એ સદ્ગુરુની જ્યોત હજી તમે જોઈ જ નથી ભાઈલા !
લોકો જ્યોત સળગાવે છે. માથા તરફ લાકડાં વચ્ચે જે ઘાસ છે એને જ્યોતનો સ્પર્શ કરાવે છે. ઘાસના પૂળાને આગ ઘેરી લે છે. પગ તરફ પણ એક જણ આગ લગાડી રહ્યો છે. ભભુક. . . ભભુક... આગ ચાલુ થઈ ગઈ. તમારા ઉપર વીંટાળેલાં કપડાં સુધી આગ પહોંચી ગઈ. લાકડાં ધીરે ધીરે અગ્નિ પકડી રહ્યાં છે. હવે તમારા મિત્રોને જરૂર નથી કે ફાયર બ્રિગેડ બોલાવી લે. હવે ડોક્ટર-હકીમોને બોલાવવાના સંજોગો નથી. જરૂર પણ નથી. હવે બધાને ઘરે જવું છે. તમને છોડીને વિદાય થવું છે.ધૂમાડો નીકળી રહ્યો છે. આગની જ્વાળાઓ લપકારા મારી રહી છે. જેઓ નજીકના સ્નેહી અને સાથી હતા તેઓ પણ અગ્નિના તાપથી દૂર ભાગી રહ્યા છે. ચારે બાજુ પ્રજ્વલિત અગ્નિ વચ્ચે તમારે એકલા બળવું પડે છે. મિત્રો-સ્નેહીઓ, સંબંધીઓ, બાળપણના ગોઠિયા બધા દૂર સરકી રહ્યા છે.હવે કોઈ કોઈનું નથી. બધા જ સંબંધો મોહ ના સંબંધો... મોહ માં જરાક તાપ સહેવાની તાકાત ક્યાં છે ? મૃત્યુનો એક ઝાટકો સહેવાની તાકાત ક્યાં છે ? તમારાં સગાં-સંબંધીઓમાં મોતની એક ચિનગારી સહેવાની તાકાત ક્યાં છે ? છતાં પણ તમે સંબંધોને પાકા કરવા મથી રહ્યા છો. તમે કેટલા ભોળા મહેશ્વર છો ! તમે કેટલા નાદાન મહેશ્વર છો ! હવે જોઈ લો હકીકત.ચિતાને આગ ઘેરી વળી છે. લોકોને ભૂખ ઘેરી વળી છે. કેટલાક લોકો ત્યાંથી હળવે રહીને ખસી ગયા. કેટલાક લોકો હવે ત્યાં રહ્યા છે.
 એક નોકર પણ હાથમાં ચીપિયો લઈને ત્યાં ઊભો છે. એ કાળજી રાખે છે કે લાકડાં આડાં-અવળાં ન થઈ જાય. લાકડું નીચે પડી જાય તો એ ફરીથી તમારા માથા ઉપર ચડાવી દે છે. હવે આગ બરાબર ફેલાઈ ગઈ છે. ચારે બાજુ ભભુક...ભભુક... અગ્નિ બળી રહ્યો છે. માથા બાજુ આગ... પગ બાજુ આગ. વાળ તો એવા બળ્યા કે જાણે ઘાસ બળ્યું ! માથાને પણ આગે ઘેરી લીધું છે. મોંમાં ઘી નાખેલું હતું, વાટ નાખેલી હતી, આંખો ઉપર ઘી ચોપડેલું હતું.
મત કર રે ભાયા ગરવ ગુમાન ગુલાબી રંગ ઉડી જાવેલો. મત કર રે ભાયા ગરવ ગુમાન પ્રેમીરો રંગ ઉડી જાવેલો ॥ ઉડી જાવેલો રે ફીકો પડ જાવેલો રે કાલે મર જાવેલો, પાછો નથી આવવો... મત કર રે ભાર રે પ્રેમી તારી ફરી કો ની રે વેલા...इने जातें नहीं लगे वार गुलाबी रंग उड़ी जावेलो ॥ પતંગી રંગ ઉડી જાવેલો... મત કર મોહ.. ધન રે દૌલત તારા માલ ખજાના નો... છોડી જાવેલો રે પલમાન ઉડી જાવેલો || પાછો નથી આવેલો... મત કર મોહ ઘણા રે લાયો ને ઘણા લે જાવેલો ભાયા.... ઘણા કોની હાલે થરે સાથે ગુલાબી રંગ ઉડી જાવેલો પતંગી રંગ ઉડી જાવેલો...મત કર રે
તમારા આખા શરીરને સ્મશાનની આગે ઘેરી લીધું છે. લાકડાં પૂરજોશથી બળી રહ્યાં છે. એક જ ક્ષણમાં એણે પોતાના ભોગનો સ્વીકાર કરી લીધો છે. આખું શરીર કાળું થઈ ગયું. કપડાં બળી ગયાં. કફન બળી ગયું. ચામડી બળી ગઈ. પગનો ભાગ નીચે લબડી રહ્યો છે, પડવા લાગ્યો છે. ચરબીને આગ સ્વાહા કરી રહી છે. હજી યે મનુષ્ય તમને જીવતા તમારી હાલત બતાવી દીધી જો સમજાય જાય તો સમજી જાઓ..
કાઈ નથી આ મનુષ્ય જીવન માં તમે આ જીવન પરમાત્મા તરફ વાળી લો પરમાત્મા માં એક થય જાવો..એક મોક્ષ નો માર્ગ તમને આ બધા બધન માંથી મુક્ત કરી શક્શે અને જો મોક્ષ નો માર્ગ સમજવો હોય તો પહેલાં પ્રેમ ને સમજી જાવો.....પ્રેમ તમને મોક્ષ ના માર્ગ સુધી લય જશે એવી પરમાત્માને હું પ્રાથના કરીશ...
                             _   મનોજભાઈ સોલંકી

મારી અડધી જીંદગી સુધી મે પ્રેમ ની તલાશ માં વિતાવી નાખી....મારું બચપણ અને જવાની પ્રેમ ની શોધ માં ગઈ..

છેલ્લો પ્રેમ 4(એક ભૂલ)

નમસ્તે મિત્રો કેમ મજામાં... છેલ્લો પ્રેમ 4 માં હવે આગળ વધી એ પહેલા એક વાત કહી દવ કે જ્યારે પ્રેમ માં હોવ ત્યારે ભૂલ થી પણ કોઈ ભૂલ ના થાય તેન...