જૂન 29, 2023

How did you start loving yourself and being confident?

 Loving oneself starts with no reason or with no method, it's natural, it's normal, does anyone teach a baby in the womb of a mother how to love!!?? The babu loves the mother unconditionally, and he/she as an infant doesn't need “how to” or any “know how”..The love is in the very Nature of the humans as well animals



How do you see love in yourself


Ah, love. It's a complex and beautiful thing, isn't it? Seeing love in yourself can be a truly enlightening experience. It's about recognizing and embracing the love that resides within you, and understanding how it manifests in your thoughts, actions, and relationships.

First and foremost, self-love is the foundation upon which everything else builds. It's about accepting and embracing yourself for who you are, flaws and all. Remember, it's okay to have flaws – they make you human. Start by cultivating a positive self-image and practicing self-care. Treat yourself with kindness, respect, and compassion. Celebrate your achievements, big or small, and learn from your mistakes without being too hard on yourself. Remember, no one is perfect!

Next, pay attention to the things that bring you joy and make you feel alive. What activities make your heart sing? What hobbies or interests make time fly by? Engaging in these activities not only shows self-love but also allows you to connect with your true passions and desires. This is where you'll often find love in yourself.

Love is not just about romantic relationships; it extends to the way you interact with others. Notice how you treat people – friends, family, colleagues, even strangers. Are your actions rooted in kindness and empathy? Do you genuinely care about their well-being? Seeing love in yourself means being mindful of how you impact others' lives.


When you see love in yourself, it becomes easier to spread that love to others. So, take the time to look within, embrace your own capacity for love, and let it shine brightly. You deserve it, and the world needs it.

                                 _   MANOJBHAI  

                                     {Prem ni shodh ma 🌹}


જૂન 27, 2023

પ્રેમ નો વિષય.

        " એમને પૂછો પ્રેમ માં શું થયું નથી...
         સાચું કહું તો કશું બાકી રાખ્યું જ નથી..
         જેના માટે અમે મારવા પણ તૈયાર હતા 
       સાચું એને જ એમને પ્રેમ કર્યો નથી..."

  દુઆ કરો કે પ્રેમ ને પણ પ્રેમ થાય કદી,પછી જુઓ કેવો તડપે છે પ્રેમ પોતાના પ્રેમમાં.પ્રેમ ..કેવો સરસ શબ્દ છે ....ઘણા ની ઝીંદગી બનાવી દે અને ઘણાની ઉજાડી પણ દે એવો શબ્દ એટલે પ્રેમ.

પ્રેમ અને નસીબની સદીઓથી દુશ્મની છે,પ્રેમ થશે એટલે નસીબ રિસાઈ જશેએ ચોક્કસવાત છે. પ્રેમ એક મજેદાર ગુનો છે. એમાં એકાદ બીજા ગુનેગાર સાથી ની જરૂર પડેછે.તમારા પ્રેમ સંબંધ માટે કે તમારા કુદરતી રોમાન્ટિક સ્વભાવ માટે તમારી કોઈ ટીકા કરે તો મન પર લો તો તમે પ્રેમી થઇ ના શકો .

આ જગત માં જો તમે સૌને ખુશ કરવા માટે બીજાના મત પ્રમાણે તમારી જાત ને કાતરતા રહેશોતો માત્ર કતરણ બની ને રહી જશો. પ્રેમ તો એક અમૃત કુંભ છે તેનો સ્વાદ કોઈપણ હિસાબે લેવો જ જોઈએ. કોઈ પણ જોખમ વહોરી ને પણ. પણ પછી એને નિભાવવાની પૂરી તૈયારી રાખવી પડે છે, તમે પ્રેમ કરી ને ઘરના નું કે સમાજનું વિચારો તો એ ના ચાલે, એ બધું તમારે પ્રેમ કરતા પેલા વિચારવું જોઈએ.પ્રેમ કરી ને તમે એ બધા નું વિચારવા બેસો તો તમે એક સાથે ઘણી જીન્દગી બરબાદ કરશો. પછી તમારો પ્રેમ તમારો ઇમૈલ કે ફેસબુક  કે મોબાઈલ નો પાસવર્ડ બની ને રહી જશે.પ્રેમના નગરોમાં એક જ પરિસ્થિતિ છે બધે જ કોઈ દિલ આપીને રડે છે, તો કોઈ દિલ લઈને.આ  પ્રેમ એક એવી ચીજ છે કે તેને મૌજ સાથે હોય છે તેના કરતા દર્દ સાથે વધુ ગાઢ રિશ્તો હોય છે. પણ જો એકાદ ચાહનારું કે સહાનુભૂતિ બતાવનારું પણ મળી જાય તો રંગીન મૌસમ નો રંગ રહી જાય.

પ્રેમી જો સાચો પ્રેમી હોય તો પ્રિયતમા ની બેવફાઈ ને કે મજબૂરી ને માફ કરી દે છે. અને પ્રેમ જ કરે છે પણ પ્રેમ માં પછડાટ ખાનારો કદી પ્રેમ કરવાનું છોડતો નથી. તેને તો પીડા ભોગવવાનું પણ વ્યસન થઇજાય છે. એક વખત નહિ બે વખત નહિ પણ વારંવાર તેને બેવફાઈની ચોટ મળે તો પણ હાથે કરીને આ પ્રેમ ની ફાંસી ના જાળ માં પાછો હાલી નીકળે છે.

પ્રેમ માં જ નહિ જીવનવ્યવહાર માં તમે જેટલા સુંવાળા રહો, બીજાને અનુકુળ થવાનો સ્વભાવ રાખો તો પણ તમારે સહન કરવું જ પડે છે. પ્રેમ નામ ની વસ્તુ માણસનું સત્યાનાશ કરી નાખે છે,ડ્રગ્સ ની જેમમાણસના મન અને મગજને ખાઈ જાય છે, માણસને કશાયનું ભાન રહેતું નથી. પ્રેમના નામે માણસ ને બરબાદ કરી શકાય છે અને પ્રેમ માં પડેલો માણસ ખુશી ખુશી બરબાદ થઇપણ જાય છે.કોઈ એક પાત્ર ના લગન થઇ ગયા પછી ( મોટે ભાગે પ્રેમિકા ના લગન થઇ જાય છે ) બીજું પાત્ર બહુ મુશ્કેલી થી જીંદગી જીવી શકે છે, તેના માટે ભૂલવું બહુ જ મુશ્કેલ હોય છે, જેના લગ્ન થઇ ગયા હોઈ છે તે તો તેના નવા પરિવાર સાથે ગમે કે ના ગમે  છતાં વ્યસ્ત થઇ જાય છે અને તેને ભૂતકાળ ભૂલવા માં તકલીફ નથી પડતી, પરંતુ જયારે તેને ત્યાં પણ તકલીફ પડે છે ત્યારે તેને તેનો પ્રેમી પહેલા યાદ આવે છે નહિ કે એના પરિવાર ના લોકો.?

જયારે બીજું પાત્ર પોતાના પ્રેમ ને ના પામી શકવાના કારણ માંથી બહાર આવી શકતી નથી. એને અંદર અંદર એવું થયા જ રાખે છે કે એ જરૂર આવશે.ખબર છે મને મારા નસીબમાં તમે નથી, તો પણ ઇંતજાર કરે છે  એકવાર આવ છે એવી આશા સાથે ગણા વર્ષો બરબાદ કરે છે. જયારે બે પ્રેમીના લગન થતા નથી ત્યારે તે બંને પાત્રો પોતાના (પરાણે બનેલા) જીવન સાથી ને પૂરો ન્યાય,સત્ય,સાથ,કે પ્રેમ આપી શકતા નથી. આને લીધે ઘણા બધાની જીન્દગી બરબાદ થઇ છે,  અને થાય છે પણ ; પરાણે સમાજ ના ડર થી ઇજત,આબરૂ, માં બાપ આ બધા  માટે પોતાની જીન્દગી  ની દિશા બદલી ના ખે  છે.
 પ્રેમ એટલે નદીના બે સમાંતર કિનારા, આખરે તો એક થઇ ને સમુદ્રમાં જ ભળે છે, રેલ ના બે પતા ભલે ભેગા ના થાય પણ એમની મંઝિલ તો એક જ હોય છે.મિત્રો, પ્રેમ કરો તો એને ખોઈ ના દેતા, કારણકે પ્રેમ માં નિષ્ફળતા દિલ અને આત્મસન્માન બંને ને અપમાનિત કરે છે.? સાચું..
આપણી જીન્દગી માં એવો કોઈ ટ્વિસ્ટ નહિ આવે જેવા ફિલ્મ માં આવે છે, અને બીજી તક પણ નહિ આવે તેને પામવાની. આપણા જીવન વિશેની વાતમાં આજ્ઞા પાલન ન હોય, નિર્ણય લેવાનો હોય, તો જે પ્રેમ કરતાં હોય એને  માટે પણ અને જે પ્રેમ કરવાનું હોય.. તો આ યાદ રાખજો કે પ્રેમ માં પડવાનું નાં હોય, ડૂબી જવાનું હોય. પ્રેમ અને મૃત્યુ માં એક વાત સરખી છે...મૃત્યુ અને પ્રેમ બંને એકજ વાર થાય. જેમ વારે વારે મરાય નહિ, તેમ વારે વારે પ્રેમ પણ ના થાય.પ્રેમ એટલે આશ, પ્રેમ એટલે શ્વાસ...આપણી વચ્ચેનો આ અતૂટ વિશ્વાસ પ્રેમ એટલે આપના અલગ-અલગ સપના ઓ ને એક તાંતણે બાંધવાનો પ્રયાસ ...પ્રેમ એટલે એક મેક ના મન તરફ, મન માટેજીન્દગીભરનો સુંદર પ્રવાસ ....પ્રેમ એટલે જીભ વડે ઝગડવું અને હોઠ વડે હસાવવું...મનાવવું ..પ્રેમ એટલે આપણે બે હતા હવે એક થયા જાણે આ ધરતી ને આકાશ...પ્રેમ એટલે તને ઓઢું,તને પહેરું, ...પ્રેમ એટલે  રહે સદા મારી આસ-પાસ... એવો મધુર અહેસાસ...
  મિત્રો પ્રેમ વિશે વધુ જાણવા" પ્રેમ ની પરિભાષા 1 "
પુસ્તક વચજો....
  પ્રેમ વિશે આગળ વધુ વાત કરશું....

જૂન 11, 2023

પ્રેમ ની શોધ માં

મારો પ્રેમ કહાની તમે વાચી હશે તો તમને ખબર પડી ગઈ હસે કે મારો લક્ષ અને ઉદ્દેશ્ય પ્રેમ ને શોધવો હતો ....પણ પ્રેમ ની શોધ માં  ફરતાં ફરતાં હું ક્યારે આધ્મક  વાતો સમજી ગયો કે  ખબર જ ન પડી પ્રેમ માં પ્રેમી ને જે દુઃખ થાય એ પાપ કે પુણ્ય આ સમજવા માં મારે પાપ અને પુણ્ય ને સમજવું પડ્યું....ચાલો પાપ અને પુણ્ય વિશે વાતો કરીયે...આપણા ભારતમાં તો પુણ્ય-પાપની સમજ તો પા-પા પગલી માંડતો થાય ત્યાંથી જ આપવામાં આવે છે. નાનું બાળક જીવડાં મારતું હોય તો માતા ફટાક કરીને તેના હાથ ઉપર થપ્પડ મારી દે છે ને ક્રોધ કરીને કહે છે ‘ના મરાય, પાપ લાગે !’ નાનપણથી બાળકને સાંભળવા મળે છે ખોટું કરીશ તો પાપ લાગશે, આમ ન કરાય. ઘણી વખત માણસને દુઃખ પડે છે ત્યારે રડી ઊઠે છે, કહેશે મારા ક્યા ભવના પાપની સજા ભોગવું છું. સારું બની જાય તો પુણ્યશાળી છે’ કહેશે. આમ પાપ, પુણ્ય શબ્દ આપણા વ્યવહારમાં બોલવામાં સહેજે વપરાયા કરતા હોય છે.
ભારતમાં તો શું વિશ્વના તમામ લોકો પુણ્ય-પાપને સ્વીકારે છે અને તેમાંથી કઈ રીતે છૂટવું તેના ઉપાયો બતાડવામાં પણ આવ્યા છે.
પણ પાપ-પુણ્યની યથાર્થ વ્યાખ્યા શી ? યથાર્થ સમજ શી ? પૂર્વભવ-આ ભવ ને આવતા ભવ સાથે પાપ-પુણ્યને શો સંબંધ છે ? વન વ્યવહારમાં પાપ-પુણ્યનાં ફળ કેવી રીતે ભોગવવાં પડતાં હોય છે ? પુણ્ય અને પાપના પ્રકારો કેવા છે ? ત્યાંથી માંડીને ઠેઠ મોક્ષ માર્ગમાં પાપ-પુણ્ય કંઈ ઉપયોગી નીવડે છે ? મોક્ષે જવામાં પાપ- પુણ્ય બન્નેની જરુર છે કે બન્નેથી મુક્ત થવું પડશે ?પુણ્ય-પાપની એટલી બધી વાતો સાંભળવા મળે છે કે આમાં સાચું શું ? એ સમાધાન કયાંથી મળે ? પાપ-પુણ્યની - યથાર્થ સમજના અભાવે ખૂબ ગૂંચવાડા ઊભા થાય છે. પુણ્ય ને પાપની વ્યાખ્યા ક્યાંય કલીયર કટ ને શોર્ટકટમાં જોવા મળતી નથી. તેથી પુણ્ય પાપ માટે જાતજાતની વ્યાખ્યાઓ સામાન્ય મનુષ્યને મુંઝવે છે, અને અંતે પુણ્ય બાંધવાનું ને પાપથી અટકવાનું તો બનતું જ નથી.પાપ પુણ્ય ની નાની વ્યાખ્યા કહું તો આ પ્રમાણે કહી શકાય 
 “બીજાને સુખ આપવાથી પુણ્ય બંધાય અને બીજાને દુઃખ આપવાથી પાપ બંધાય.'' હવે આ વ્યાખ્યા બધે કામ આવે આપણા જીવનમાં અને પ્રેમ કરવામાં કેમ કે પ્રેમ માં ક્યાંક ને ક્યાંક બીજા પાત્ર ને તકલીફ અને દુઃખ મળે જ છે માટે  પ્રેમ થી આખો દિવસ રાખ્યા કરે તો આખો ય ધર્મ આવી ગયો ને અધર્મ છૂટી ગયો!અને ભૂલેચૂકે કોઈને દુઃખ દેવાઈ જાય તો તેનું કર્મ જ પ્રતિક્રમણ કરી લો. પ્રતિક્રમણ એટલે જેને વાણીથી, વર્તનથી કે મનથી પણ દુઃખ પહોંચ્યું, તો તે કર્મ જ તેની અંદર બિરાજેલા આત્મા, શુદ્ધાત્મા પાસે માફી માંગવી, હૃદયપૂર્વક પસ્તાવો થવો જોઈએ ને ફરી આવું નહીં કરું એવો દ્રઢ નિશ્ચય થવો જોઈએ. આટલું જ બસ. અને તે ય મનમાં, અને દિલથી પસ્ત્તાવો કરી લે, તો ય તેનું એક્ઝેક્ટ ફળ શાયદ નથી મળતું ..
 જીવન પુણ્ય અને પાપના ઉદય પ્રમાણે ચાલે છે, બીજો કોઈ ચલાવનારો નથી. પછી ક્યાં કોઈને દોષ કે શિરપાવ દેવાનો રહ્યો ? માટે પાપનો ઉદય હોય તો વધારે ફાંફાં માર્યા વિના શાંત બેસી રહે ને આત્માનું પરમાત્મા નું નામ લય ધ્યાન કરવું. પુણ્ય જો ફળ આપવાને સન્મુખ થયું હોય તો પછી સેંકડો પ્રયત્નો શાને ? અને પુણ્ય જ્યારેફળ આપવાને સન્મુખ ના થયું હોય તો પછી સેંકડો પ્રયત્નો શાને ? માટે તું ધર્મ કર.કર્મ કર અને પ્રેમ કર...
પુણ્ય-પાપ અંગેના સામાન્ય પ્રશ્નોથી માંડીને સૂક્ષ્મમાં સૂક્ષ્મ પ્રશ્નોના એટલા જ સરળ ટુંકા ને સચોટ સમાધાનકારી જવાબો અત્રે મળે છે, તળપદી શૈલીમાં ! મોક્ષે જવા શું પુણ્યની જરૂર ? જરૂર હોય તો કઈ ને કેવી પુણ્ય જોઈએ ?
પુણ્યે તો જોઈએ જ પણ પુણ્યાનુબંધી પુણ્ય જોઈએ. એટલું જ નહીં પણ મોક્ષના આશય સાથે જ પુણ્યે બંધાઈ હોય, જેથી કરીને એ પુણ્યના ફળરૂપે મોક્ષ પ્રાપ્તિના સર્વે સાધનો અને અંતિમ સાધન, આત્મજ્ઞાનીનું મળે ! વળી પુણ્યાનુબંધી પુણ્ય મોક્ષના હેતુ માટે બંધાયેલું હોય તો તેની સાથે (૧) ક્રોધ-માન-માયા-લોભ ઘટેલાં હોવાં જોઈએ, કષાયો મંદ થવાજોઈએ, (૨) પોતાની પાસે હોય તે બીજાને માટે ભેલાડી દે અને (૩) દરેક ક્રિયામાં બદલાની ઈચ્છા ન રાખે તો જ તે પુણ્ય મોક્ષ માટે કામ લાગે, નહીં તો બીજી પુણ્ય તો ભૌતિક સુખ આપી બરફની જેમ ઓગળી જાય !
પાપ-પુણ્ય
પાપ-પુણ્યની ન મળે ક્યાંય આવી વ્યાખ્યા ! જુવો...?
પ્રશ્નકર્તા : પાપ અને પુણ્ય એ વળી શું છે ?
હું : પાપ અને પુણ્યનો અર્થ શો ? શું કરીએ તો પુણ્ય થાય ? પુણ્ય-પાપનું ઉત્પાદન ક્યાંથી છે ?  ‘આ જગત જેમ છે તેમ જાણ્યું નથી લોકોએ, એટલે પોતાને ફાવે એમ વર્તે છે. એટલે કોઈ જીવને મારે છે, કોઈને દુઃખ દે છે, કોઈનેત્રાસ આપે છે.’
કોઈ પણ જીવમાત્રને કંઈ પણ ત્રાસ આપવો કે દુઃખ આપવું એનાથી પાપ બંધાય.  (આંખે દેખાય એવા કે ના દેખાય એવા, દરેક જીવ માત્રમાં ભગવાન છે.) આ જગતના લોકો, દરેક જીવમાત્ર એ ભગવાન સ્વરૂપ જ છે. આ ઝાડ છે, એમાંય જીવ છે. હવે આમ લોકો મોઢે બોલે ખરા કે બધામાં ભગવાન છે, પણ ખરેખર એની શ્રદ્ધામાં નથી. એટલે ઝાડને કાપે, એમ ને એમ અમથા તોડ તોડ કરે, એટલે બધું નુકસાન કરે છે. જીવમાત્રને કંઈ પણ નુકસાન દેવું, એનાથી પાપ બંધાય છે અને કોઈ પણ જીવને કંઈ પણ સુખ આપવું, એનાથી પુણ્ય બંધાય છે. તમે બગીચામાં પાણી છાંટો છો તો જીવોને સુખ પડે કે દુઃખ ? એસુખ આપો એનાથી પુણ્ય બંધાય છે. બસ, આટલું જ સમજવાનું છે.
આખા જગતના જે ધર્મો છે, એને સરવૈયારૂપે કહેવું હોય તો એક જ વાત સમજાવી દઈએ બધાને, કે જો તમારે સુખ જોઈતું હોય તો આ બીજા જીવોને સુખ આપો અને દુઃખ જોઈતું હોય તો દુઃખ આપો. જે અનુકૂળ આવે તે કરો, આનું નામ પુણ્ય અને પાપ. સુખ જોઈતું હોય તો સુખ આપો, તેથી ક્રેડિટ બંધાશે
અને દુઃખ જોઈતું હોય તો દુઃખ આપો તો
ડેબિટ બંધાશે. એનું ફળ તમારે ચાખવું પડશે.
સારું-ખોટું, પાપ-પુણ્યના આધારે !કોઈ ફેરા સંજોગો સારા આવે છે ખરા કે?

પ્રશ્નકર્તા : સારા ય આવે છે.

હું : એ ખરાબ ને સારા સંજોગોને કોણ મોકલતું હશે ? આપણાં જ પુણ્ય ને પાપના આધારે સંજોગો ભેગા થાય છે. એવું છે, આ દુનિયાને કોઈ ચલાવનારો નથી. જો કોઈ ચલાવનાર હોત તો પાપ-પુણ્યની જરૂર નથી.

પ્રશ્નકર્તા : આ જગતને ચલાવનારા કોણ ?

હું : પુણ્ય ને પાપનું પરિણામ. પુણ્ય ને પાપનાં પરિણામથી આ જગત ચાલી રહ્યું છે. કોઈ ભગવાન ચલાવતા નથી. કોઈ  નો આમાં હાથ નથી.
 
પ્રશ્નકર્તા : હવે પુણ્યો અનેક જાતનાં છે તો કઈ કઈ જાતનાં કાર્યો કરીએ તો પુણ્ય કહેવાય અને પાપ કહેવાય ?

હું: જીવમાત્રને સુખ આપવું  મનુષ્યો. એ મનુષ્યનું કર્તવ્ય છે પછી બીજા પ્રેફરન્સમાં પાંચ ઇન્દ્રિય જીવો. ત્રીજા પ્રેફરન્સમાં ચાર ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, બે ઇન્દ્રિય, એક ઇન્દ્રિય એવી રીતે એમને સુખ આપવું, એનાથી જ પુણ્ય થાય છે અને એને દુઃખ આપવું, એનાથી પાપ થાય છે.

પ્રશ્નકર્તા : ભૌતિક સુખો મળે છે, તેમણે કઈ જાતનાં કર્મો કર્યાં હોય તો તે મળે ?

હું: આ કોઈ દુઃખી થતું હોય એમને સુખ આપે, તેનાથી પુણ્ય બંધાય અને પરિણામે એવું સુખ આપણને મળે. કોઈને દુઃખ આપો તો તમને દુઃખ મળે. તમને પસંદ આવે તે આપજો.બે જાતની પુણ્યે. એક પુણ્યથી ભૌતિક સુખ મળે અને બીજી એક એવા પ્રકારની પુણ્ય છે કે જે આપણને ‘સચ્ચી આઝાદી’ પ્રાપ્ત કરાવે.એ બન્ને ગણાય કર્મ જ !

પ્રશ્નકર્તા : પાપ અને કર્મ એક જ જુદા ?

હું : પુણ્ય અને પાપ બન્નેય કર્મ કહેવાય. પણ પુણ્યનું કર્મ નડે નહીં ને પાપનું કર્મ આપણા ધાર્યા પ્રમાણે થવા ના દે ને નડે અને દુઃખ આપે...
જ્યાં સુધી એવી માન્યતા છે કે હું જ છું”, ત્યાં સુધી કર્મ બંધાયા જ કરે. કર્મ બે પ્રકારનાં બંધાય. પુણ્ય કરે તો સદ્ ભાવ અને પાપ કરે તો દુર્ભાવનાં કર્મ બાંધે. જ્યાં સુધી હકનું અને અણહકનું વિભાજન થયું નથી ત્યાં સુધી લોકોનું જુએ એવું એ ય ઊંધું શીખી જાય છે. મનમાં હોય જુદું, વાણીમાં કંઈ અને તૃતીયમ્ જ બોલે અને વર્તનમાં તો ઓર જ જાતનું હોય. એટલે નર્યાં પાપ બંધાય. એટલે અત્યારે લોકોને પાપની જ કમાણી .થાય છે...
પ્રશ્નકર્તા : તો પુણ્ય અને ધર્મમાં શું ફેર ?
હું: પુણ્ય એ વ્યવહાર ધર્મ છે, સાચો ધર્મ નથી. વ્યવહાર ધર્મ એટલે પોતાને સુખી થવા માટે. પુણ્ય એટલે ક્રેડિટ.કરવી આપણે સુખી થવાય, ક્રેડિટ કરી હોય તો આપણે નિરાંતે રહીએ અને તો સારી રીતે ધર્મ થાય. અને પાપ એટલે ડેબીટ. થાય પુણ્ય ના હોય, ક્રેડિટ ના હોય તો આપણે ધર્મ કરીએ શી રીતે ? ક્રેડિટ હોય તો એક બાજુ શાંતિ રહે, તો આપણે ધર્મ કરી શકીએ.

પ્રશ્નકર્તા : કયાં કર્મ કરવાથી પુણ્ય થાય અને કયાં કર્મ કરવાથી ધર્મ થાય ?

હું: આપણે આ તમામ જીવો, મનુષ્યો, ઝાડ-પાન, ગાયો-ભેંસો પછી ખેચર, ભૂચર, જલચર એ બધા જ જીવો સુખ ખોળે છે. અને દુઃખ કોઈને ગમતું નથી. માટે તમારી પાસે જે કંઈ સુખ હોય, તે બીજા લોકોને આપો તો તમારે ખાતે ક્રેડિટ થાય, પુણ્ય બંધાય અને બીજાને દુઃખ આપો, તો પાપ બંધાય.

પ્રશ્નકર્તા : તો ધર્મ કોને કહેવાય ?

હું: આમ તો ધર્મ ના મહત્વના 4 સ્તંભ છે એ કોઈ દિવસ બતાવીશ પણ હાલ પૂરતું આટલું જાણો ધર્મ એટલે આત્મધર્મ. આત્માનો પોતાનો ધર્મ. પાપ અને પુણ્ય બેઉ અહંકારનો ધર્મ છે. અહંકાર હોય ત્યાં સુધી પાપ અને પુણ્ય હોય. અહંકાર જાય એટલે પાપ અને પુણ્ય જાય, તો આત્મધર્મ થાય. આત્માને જાણવો પડે તો જ આત્મધર્મ થાય ..
ધર્મો શું કહે છે ? સારું કરો અને ખોટું ના કરશો. સારું કરવાથી પુણ્ય બંધાય અને ખોટું કરવાથી પાપ બંધાય.
આખી જિંદગીનો ચોપડો એકલા પુણ્યથી કંઈ ના ભરાય. કોઈને ગાળ આપી તો પાંચ રૂપિયા ઉધારી અને ધર્મ કર્યો તો સો રૂપિયા જમાં થાય.આવું નથી પાપ-પુણ્યની બાદબાકી થતી નથી. જો તેમ થતી હોય તો તો આ કરોડ પતિઓ પાપ જમાં થવા જ ના દે. પૈસા ખર્ચીને ઉધારી ઉતારી દે. પણ આ તો અસલ ન્યાય છે. તેમાં તો જે વખતે જેનો ઉદય આવે ત્યારે તે વેઠવું પડે. પુણ્યથી સુખ મળે અને પાપનાં ફળનો ઉદય આવે ત્યારે કડવું લાગે. ફળ તો બંનેય ચાખવાં જ પડે.
ભગવાન શું કહે છે કે, તને જે ફળ ચાખવાનું પોષાતું હોય, તેનું બીજ વાવજે. સુખ પોષાતું હોય તો પુણ્યનું ને દુઃખ પોષાતું હોય તો પાપનું બી વાવજે, પણ બંને રિલેટિવ ધર્મ જ છે, રિયલ નથી.રિયલ ધર્મમાં, આત્મધર્મમાં તો પુણ્ય અને પાપ બંનેથી મુક્તિ જોઈએ. રિલેટિવ ધર્મોથી ભૌતિક સુખો મળે અને મોક્ષભણી પ્રયાણ થાય, જ્યારે રીયલ ધર્મથી મોક્ષ મળે.. તેનાથી સીધો જ મોક્ષ મળી જાય. અહીં જ મોક્ષસુખ વર્તે. અહીં જ આધિ, વ્યાધિ અને ઉપાધિથી મુક્તિ મળી જાય ને નિરંતર સમાધિ રહ્યા કરે. નિરાકુળતા ઉત્પન્ન થાય. અહીં તો આત્મા અને પરમાત્માની વાતો થાય.પરમાણુ ફળે સ્વયં સુખ- દુઃખમાં !ખુશ રહે..
પ્રશ્નકર્તા : પાપ અને પુણ્ય એના વિભાગ કોણે પાડેલા? 
હું: કોઈએ પાડ્યા નથી.

પ્રશ્નકર્તા : આ પાપ છે, આ પુણ્ય એ બધું, બુદ્ધિ કહે છે, આત્માને તો પાપ- પુણ્ય કશું છે જ નહીં 

હું : ના, આત્માને નથી. સામાને દુઃખ થાય એવી વાણી આપણે બોલીએ ને, ત્યારે તે વાણી જ પોતે પરમાણુને ખેંચે છે. એ પરમાણુ ને દુઃખનો રંગ લાગી જાય છે, પછી એ પરમાણુ જ્યારે ફળ આપવા માંડે ત્યારે દુઃખ જ આપે એ. બીજી વચ્ચે કોઈની ઘાલમેલ છે નહીં.
એમાં જવાબદારી કોની ?
પ્રશ્નકર્તા : એક જણને પૈસા અને એક જણને ગરીબી એ કેવી રીતે આવે છે, મનુષ્ય જ બધા જન્મે છે ? 
હું : તે આપણો જે આ જન્મ થાય છે ને, તે ઈફેક્ટ હોય છે. ઈફેક્ટ એટલે ગયા અવતારમાં જે જમા છે તેનું આ ફળ છે. એટલે જેટલી પુણ્ય હોય, એ પુણ્યમાં શું શું થાય ? ત્યારે કહે, એમાં સંજોગો બધા સારા મળી આવે તો મદદ જ કર્યા કરે. બંગલો બાંધવો હોય તો બંગલો બંધાય, મોટર મળે ! અને પાપ એ સંજોગો ખરાબ લાવી અને બંગલો હરાજી કરાવડાવે. એટલે આપણા જ કર્મનું ફળ છે. એમાં ભગવાનની કંઈ ડખલ છે નહીં ! એક લાઈફ નહીં, કેટલીયે લાઈફ માટે ભગવાનની ડખલ છે નહીં આમાં ! વગર કામના લોકો ભગવાનની પાછળ પડ્યા છે.અને દોષ આપે છે
જગતમાં આત્મા ને પરમાણુ બે જ છે. કોઈને શાંતિ આપી હોય, સુખ આપ્યું હોય તો પુણ્યના પરમાણુ ભેગા થાય ને કોઈને દુઃખ આપ્યું હોય તો પાપના પરમાણુ ભેગા થાય. પછી એ જ કરડે. ઈચ્છા મુજબ થાય છે તે પુણ્ય અને ઈચ્છા વિરુદ્ધ થાય છે તે પાપ. પાપ બે પ્રકારનાં, 
એક પાપા નુ બંધી પાપ, બીજું એક પુણ્ય નું બંધી પાપ અને પુણ્ય બે પ્રકારનાં એક પાપાનુંબંધી પુણ્ય, બીજું પુણ્યાનુબંધી પુણ્ય.

પાપાનુબંધી પાપ !

પાપાનુબંધી પાપ એટલે અત્યારે પાપ ભોગવે છે અને પાછો અનુબંધ પાપનો નવો બાંધે છે. કોઈને દુઃખ આપે છે ને પાછો ખુશ થાય છે.

પુણ્યાનુબંધી પાપ !

પછી પુણ્યાનુબંધી પાપ એટલે પૂર્વના પાપને લીધે અત્યારે દુઃખ (પાપ) ભોગવે છે પણ નીતિથી અને સારા સંસ્કારથી અનુબંધ પુણ્યનો બાંધે છે. 
પ્રશ્નકર્તા : તો દુઃખ ઉપકારી છેને ?

હું: ના, જેને ‘હું શુદ્ધાત્મા છું’ એવું ભાન થઈ ગયું છે એને દુઃખ ઉપકારી છે, નહીં તો દુઃખમાંથી દુઃખ જ જન્મે. દુઃખમાં ભાવ તો દુઃખના જ આવે. અત્યારે પુણ્યાનુબંધી પાપવાળા જીવો ઓછા છે. છે ખરા પણ એમને પણ દુષમકાળ નડે છે. કારણ કે આ પાપ નડે છે. પાપ એટલે શું કે સંસારવ્યવહાર ચલાવવામાં અડચણો પડે, એનું નામ પાપ કહેવાય. એટલે બેન્કમાં વધવાની તો વાત ક્યાં ગઈ પણ આ રોજનો વ્યવહાર ચલાવવામાં પણ કંઈકને કંઈક અડચણ પડ્યા કરે છે. આ અડચણો પડે છે છતાંય દેરાસર જાય, વિચારો ધર્મના આવે, એને પુણ્યાનુબંધી પાપ કહ્યું છે. પુણ્ય બાંધશે પણ આ દુષમકાળ એવો છે ને કે આ પાપથી જરા મુશ્કેલીઓ આવે છે સાવ શીધી રીતે સમજીએ તો સુખ ભોગવવા પાપ કરે છે અને પાપ થી કમાય લું ધન પણ પાપ જ વહોરી લાવે છે...આમ સુખ ભોગવવા માં પાપ કરી બેશે છે..અને પોતે પાપ માં ધકેલાય જાય છે....
આમ પાપ અને પુણ્ય ને સમજવા જશો તો બધે તમને પાપ અને પુણ્ય દેખાશે અને નહી સમજવું હોય તો નહી સમજાય 
પ્રશ્ન કરતા: સૌથી મોટું પાપ કયું ?
હું :આમ તો પાપ નું કોઈ માપ નથી હોતું કે નાનું ક્યું ,મોટું કયું,કે વધારે કયું,કે ઓછું કયું ....છતાં પણ દુનિયા માં સૌથી મોટું અને વધારે પાપ લોકો પ્રેમ માં કરતા હોય છે .પ્રેમ ને વિશ્વાસ આપી તેને દુઃખ ના મહા સાગર માં ધકેલ તા હોય છે.તમારા માટે કોઈ એક વ્યક્તિ પણ એની આંખ માંથી એક આંસુ જો નીકળ્યું તો સમજો કે તમે તમારા માથે મોટું પાપ વહોરી લીધું
પ્રશ્ન કરતા: તો શું પ્રેમ કરવો પાપ છે..?
હું : ના પ્રેમ કરવો પાપ નથી પણ પ્રેમ ને ના સમજવો અને બીજા ને તકલીફ આપવી ,નફરત કરવી,અને દુઃખ આપવું યે ગુનો છે..અને યે પાપ છે..
પ્રશ્ન કરતા: તો કોઈ પાત્ર મજબૂરી માં અલગ થાય તો પાપ કોને લાગે?
હું: પ્રેમ  માં કોઈ મજબૂરી આવતી જ નથી બસ પ્રેમ ને પ્રેમ જ કરો અને જો કોઈ પ્રેમ માં મજબૂરી બતાવે છે તો યે જાતે પાપ કર્મ કરે છે..
પ્રેમ માં ખાલી ચાહવું જ હોય છે અને યે પણ પોતાના આત્મા થી દિલ થી જ પ્રેમ કરવાનો હોય છે ત્યાં થોડો કોઈ જગ જાહેર કરવાનો હોય અને જે દેખાવો કરતા હોય છે તે જ પ્રેમ ને સમજી કહેતા નથી અને પાપ ના દ્વારે જાય છે..
પ્રશ્ન કરતા:સમજાય ગયું પાપ થી બચવા ખાલી પ્રેમ જ કરાય કોઈ ને કોઈ પણ વાત નું કે શબ્દનું  દુઃખ ના આપાય બરાબર ને...
હું :હા બસ ખાલી બધાને પ્રેમ કરો આ પૃથ્વી પર જે પણ છે યે બધા ને પ્રેમ કરો ..પ્રેમ વિશે વધુ જાણવા માટે મારી બુક છે પ્રેમ ની પરિભાષા 1 વાચી લેજો પ્રેમ સમજાય જશે..
પ્રશ્ન કરતા: પાપ નું સમાધાન તો પ્રેમ  જ છે...તો શું પુણ્ય મેળવવા પ્રેમ નું મહત્વ ખારું?
હું:જ્યારે તમારા આત્મ માં તમારા સ્વભાવ માં પ્રેમ હશે તો ...પાપ તમે કરી નહી સકો અને જો તમારી પાછે પાપ ન હોય તો તમારી પાછે શું વધ્યું... બોલો?
પ્રશ્ન કરતા: બરાબર જયારે પાપ 0% હસે તો જીવન માં પુણ્ય જ હસે અને પુણ્ય હસે તો સુખ હસે...
પ્રશ્ન કરતા: એક સવાલ હજી બાકી છે..તો છું દાન 
કરવાથી પાપ ધોવાય ખરા ?અને પુણ્ય મળે ખરા ?
હું :ના દાન કરવાથી ના તો પાપ ધોવાય કે ના પુણ્ય મળે ,..
અને આના વિશે હું આગળ બતાવીશ...તમારો કોઈ પ્રશ્ન હોય તો પૂછી સકો છો હું તમારો મિત્ર છું....
રાધે રાધે..

પ્રેમ થી સમજીએ

                પ્રેમ થી સમજીએ..આ દેહ 
   પ્રેમની ની શોધ માં હવે પ્રેમ થી મનુષ્ય ની વ્યથા વિશે કહાની સમજીએ..
 આજ સુધી કેટલાય જન્મોમાં કુટુંબ-પરિવાર તમે બનાવ્યા, સજાવ્યા, શણગાર્યા. એ બધા મોતના એક ઝાટકાથી ભાંગી પડ્યા. આથી હવે કુટુંબનો મોહ મનમાંથી દૂર કરો.અને સાચા પ્રેમ ને સમજો કુટુંબ માં કોઈ મોહ ના રાખ વાનો અને જો પોતાનો મોહ હોય..
જો શરીરની ઇજ્જત-આબરૂની ઇચ્છા હશે, શરીરના માન અને મોભાની આકાંક્ષા હશે તો આધ્યાત્મિક માર્ગમાં અડચણ બની જશે. ફેંકી દો શરીરની મમતાને. નિર્દોષ બાળક જેવા બની જાઓ. શરીરને ઘણું સંભાળ્યું. કેટલીય વાર એને નવડાવ્યું, કેટકેટલું એને ખવડાવ્યું, પિવડાવ્યું, કેટલીય વાર ફરવા લઈ ગયા પરંતુ એ શરીર હંમેશાં ફરિયાદ કરતું જ રહ્યું. ક્યારેક બીમારી તો ક્યારેક અનિદ્રા, ક્યારેક સાંધાનો દુખાવો તો ક્યારેક માથાનો દુખાવો, ક્યારેક કબજિયાત તો ક્યારેક અપચો. શરીરની ગુલામી ખૂબ કરી. હવે મનોમન શરીરની મુસાફરી કરી દો પૂરી. શરીરને ક્યાં સુધી ‘હું’  જ  છું  એવું માનતા રહેશો મનોમન દ્રઢ ભાવના કરો અને અનુભવ કરો કે તમારું શરીર દરિયા કિનારે ફરવા ગયું છે. એક બાંકડા પર બેઠું બેઠું લહેરાતા સાગરનું સૌંદર્ય નિહાળી રહ્યું છે. આવી ગયો કોઈ અંતિમ ઝટકો. તમારી ડોક ઢળી ગઈ. તમે મરી ગયા...ઘરમાં જ હતા ને માથું દુખ્યું. પેટમાં કંઈ ગડબડ થઈ. તાવ આવ્યો અને તમે મરી ગયા…… તમે લખતાં લખતાં અચાનક બેબાકળા થઈ ગયા. થઈ ગયું ‘હાર્ટ ફેલ.’તમે મરી ગયા... તમે પૂજા કરતાં કરતાં, અગરબત્તી કરતાં કરતાં એકદમ લાંબા થઈને સૂઈ ગયા. પતિ ને, પત્નીને, કુટુંબીજનોને, મિત્રોને બૂમ પાડી બોલાવ્યા. એ લોકો આવ્યા. પૂછ્યું : ‘શું થયું... શું થયું ?’ થોડીક મિનિટોમાં જ તમે મરી ગયા...
તમે રસ્તે જઈ રહ્યાા હતા. એકાએક કોઈ ઘટના બની. અકસ્માત થયો અને તમે મરી ગયા... કંઈ ને કંઈ નિમિત્ત જરૂર બની જશે તમારા મોતનું. તમને ખબર પણ નહિ પડે. આથી મોતથી પહેલાં એક વખત સાચો પ્રેમ કરી લો કા તો  ઈશ્વરના માર્ગે ચાલી જુઓ. મરી જતાં પહેલાં એક વખત દેહ  મારી જુઓ. વિસર્જન થતાં પહેલાં એક વખત વિસર્જિત થઈ જુઓ.
દ્રઢતાપૂર્વક નિશ્ચય કરો કે આ તમારી જે વિશાળ કાયા છે, રૂપકડો જે દેહ છે, જેનાં નામ અને રૂપને તમે ‘હું’માનીને સંભાળી રહ્યા છો એ તમારી કાયાનો, એ તમારા દેહનો અભાસ આજે તોડવો છે. સાધના અને પ્રેમના ઊંચા શિખરે પહોંચવામાં એ અડચણરૂપ છે. દેહની આ મમતાથી પાર થવું જ પડશે. જ્યાં સુધી દેહની મમતા રહેશે ત્યાં સુધી કરેલાં કર્મો બંધનરૂપ બની રહેશે. જ્યાં સુધી દેહમાં આસક્તિ રહેશે ત્યાં સુધી વિકારો તમારો પીછો નહિ છોડે. ભલે તમે લાખ ઉપાયો અજમાવી લો, જ્યાં સુધી દેહ નિવૃત્ત નહિ થાય ત્યાં સુધી પ્રભુનાં ગીત નહિ ગુંજે. જ્યાં સુધી તમે પોતાને શરીર માનતા રહેશો ત્યાં સુધી બ્રહ્મસાક્ષાત્કાર નહિ થઈ શકે. જ્યાં સુધી તમે પોતાને હાડ-માંસ, રક્ત- ત્વચા, મળ-મૂત્ર-વિષ્ટાનો થેલો માનતા રહેશો ત્યાં સુધી દુર્ભાગ્યથી પિંડ નહિ છૂટે. સૌથી મોટું દુર્ભાગ્ય છે જન્મવું અને મરવું. હજા૨ો સુખ- સગવડનાં સાધનો વચ્ચે ભલે કોઈ જન્મ લે. તેથી શું ફરક પડવાનો છે ? એ બિચારાને દુઃખો સહેવાં જ પડે છે.હૃદયપૂર્વક, પ્રામાણિકતાથી પ્રભુને પ્રાર્થના કરો કે : ‘હે પ્રભુ !હે દયાના સાગર ! તારા દ્વારે આવ્યા છીએ. તારી પાસે કશાની ખોટ નથી. તું અમને બળ આપ, તું અમને હિંમત આપ કે તારા માર્ગે ડગ માંડ્યાં છે તો અમે આખરે પહોંચીને જ રહીએ. હે મારા પ્રભુ ! દેહની મમતા તોડીને અમે તારાં ચરણોમાં અમારા દિલને જોડી દઈએ.’આજ સુધી આગળના કેટલાય જન્મોમાં તમારાં પિતાઓ હશે, માતાઓ હશે, કેટલાંય સગાં-સંબંધીઓ હશે, એમનાથી પહેલાંય કોઈક હશે... અને એમનાથી પહેલાં પણ કોઈક હશે. દેહ સાથે તમારી આસક્તિ જેટલી પ્રગાઢ હશે એટલો સગાઈ-સંબંધોનો બોજો તમારા પર વધારે રહેશે. દેહની આસક્તિ જેટલી ઓછી હશે એટલો બોજો હલકો રહેશે. અંદરથી દેહની અહંતા તૂટી જાય તો બહારની મમતા તમને ફસાવવા સમર્થ નહિ થાય. અંદરથી દેહની આસક્તિ તૂટી જાય તો બહારની મમતા તમારા માટે રમત બની જશે. પછી તો તમારા જીવનમાં જીવન્મુક્તિનાં ગીત ગુંજવા લાગશે. બધે પ્રેમ દેખાશે....જીવન્મુક્ત પુરુષ  કે સ્ત્રી બધાની વચ્ચે રહેતાં, બધું જ કરવા છતાં સુખપૂર્વક જીવે છે, સુખપૂર્વક ખાય-પીવે છે, સુખપૂર્વક આવે છે, સુખપૂર્વક સ્વસ્વરૂપમાં સમાય છે.માત્ર દેહ નો મોહ દૂર કરવાનો છે. દેહાધ્યાસ દૂર થઈ જાય તો મમતા પણ દૂર થઈ જાય. દેહાધ્યાસ હટાવવા માટે, દેહમાં થઈ ગયેલી અહંતા હટાવવા માટે આજે સ્મશાનયાત્રા કરી લો. જીવતાં જ મરી જાઓ  થોડીવાર માટે. આજે મોતને આમંત્રણ આપો ઃ ‘હે મોત ! તું આજે આ શરીર ઉપર ઊતર.’કલ્પના કરો કે તમારા શરીર ઉપર આજે મોત આવી રહ્યું છે. તમારું શરીર ઢીલું થઈ ગયું. કોઈક નિમિત્તથી તમારા પ્રાણ ચાલ્યા ગયા. તમારું શબ પડ્યું છે. જેને આજ સુધી લોકો ‘ફલાણા ફલાણા  ફલાણા .. ’ કહેતા હતા, એનું પ્રાણપંખેરું ઊડી ગયું. એ હવે લોકોની નજરે મડદું થઈને પડ્યું છે. વૈદ, ડોક્ટર, હકીમોએ હાથ ધોઈ નાખ્યા છે. જેને તમે આટલું પાળતા-પોષતા હતા, સજાવતા-શણગારતા હતા, ખવડાવતા-પિવડાવતા હતા, જેની ઇજ્જત-આબરૂની કાળજી રાખતા હતા એ શરીર આજે મરી ગયું. પડ્યું છે સામે. તમે એને જોઈ રહ્યા છો. લોકો ટોળે વળ્યા છે. કોઈ ખરેખર આંસુ સારી રહ્યા છે અને કોઈ કોઈ રડવાનો અભિનય કરી રહ્યા છે.
તમે મરી ગયા. શબ પડ્યું છે. લોકો આવ્યા, મિત્રો આવ્યા, પડોશીઓ આવ્યા, સાથીઓ આવ્યા, સ્નેહીઓ આવ્યા, ટેલિફોનની ઘંટડીઓ રણકી રહી છે, તાર કરવામાં આવે છે, સંદેશવાહકો મોકલવામાં આવે છે. મૃત્યુ થતાં જે થવું જોઈએ એ બધું જ કરવામાં આવે છે.આ અંતિમ પ્રેમ છે દેહની, જેને પાર કર્યા વિના કોઈ યોગી સિદ્ધ નથી થઈ શકતો, કોઈ સાધક પૂર્ણ સૌભાગ્યને ઉપલબ્ધ નથી થઈ શકતો. આ છેલ્લી અડચણ છે એને દૂર કરો.
 તમારું શરીર પડી ગયું, ઢળી પડ્યું, થઈ ગયું ‘તમે મરી ગયા. લોકો ભેગા થઈ ગયા.ઠાઠડી માટે વાંસડા મંગાવાઈ રહ્યા છે. તમને નવડાવવા માટે ઘરની અંદર લઈ જવામાં આવે છે. લોકોએ તમારા શરીરને ઉપાડ્યું. તમારી  ડોક લટકી પડી. હાથ-પગ લબડી રહ્યા છે. લોકો તમને સંભાળીને લઈ જાય છે. તમારા શબને નવડાવે છે. પરંતુ...અરે મનુષ્ય! એ ચમકારો ક્યાં...? એ પ્રકાશ ક્યાં ? એ ચેતના ક્યાં...? જે શરીર માટે કેટકેટલું કમાયા, કેટકેટલું ખાધું, કેટકેટલું પાળ્યું- પોપ્યું, શણગાર્યું–સજાવ્યું, કેટકેટલું એને બતાવ્યું, સંભળાવ્યું એ શરીર આજે શરીર ન રહ્યું, શબ બની ગયું. હવે એક શ્વાસ લેવો પણ એના હાથની વાત ન રહી. મિત્રને ધન્યવાદ આપવો કે પ્રેમી થી વાત કરવી કે કોઈ થી માફી માગવી એના હાથની વાત ન રહી. એક સંત-મહાત્માને પ્રણામ કરવાં એના હાથની વાત ન રહી.આજે એ પરાધીન શરીર બિચારું, શબ બિચારું ચાલી નીકળ્યું આ જગતમાંથી. જેના ઉપર આટલાં ‘ટેન્શન’ હતાં, જે જીવન માટે આટલી ખેંચતાણ હતી, આટલી ચિંતાઓ હતી એ જીવનની આ હાલત ? જે શરીર માટે આટલાં પાપ કર્યાં, આટલા સંતાપ સહ્યા કોઈ નું ખોટું કર્યું ,કોઈ નું દિલ દુઃખવ્યું,કોઈ ને ધોકો આપ્ય એ શરીર આજે આ હાલતમાં પડી રહ્યું છે ! જોઈ લો જરા જ્ઞાનની આંખથી તમારા શરીરની આ હાલત. લાચાર પડ્યું છે. આજ સુધી જે ‘હું... હું...’ કરી રહ્યું હતું, પોતાને બરાબર માની રહ્યું હતું, ડાહ્યું માની રહ્યું હતું, ચતુર સમજી રહ્યું હતું, જોઈ લો એ ચતુરની હાલત. એની બધી જ ચતુરાઈ ધૂળમાં મળી ગઈ. બધું જ જાણેલું અજાણ્યું થઈ ગયું. બધું જ જ્ઞાન એક ઝાટકામાં સમાપ્ત થઈ ગયું. બધા સંબંધો કપાઈ ગયા. ધન અને પરિવાર પારકાં થઈ ગયાં.
જેના માટે તમે કેટલીય રાત્રિઓ જાગ્યા હતા, જેના માટે માથે બોજા ઉપાડ્યા હતા એ બધા જ હવે પારકા થઈ ગયા .. ! જેના માટે તમે પીડાઓ ભોગવી એ બધા હવે તમારા કંઈ જ થતા નથી. તમારા વહાલા શરીરની આ હાલત !!કુટુંબીઓ, મિત્રોના હાથે તમને નવડાવવામાં આવે છે. શરીર લૂછ્યું, ન લૂછ્યું, ટુવાલ ફેરવ્યો, ન ફેરવ્યો ને તમને કપડાં પહેરાવી દીધાં. શબને ઉપાડીને તેઓ વાંસડાની ઠાઠડી પર સુવડાવે છે. 
હવે જુઓ તમારા શરીરની હાલત. જેના માટે તમે મોટી મોટી કમાણીઓ કરી, મોટી મોટી વિદ્યાઓ ભણ્યા, ડિગ્રીઓ ભેગી કરી, કેટલીય જગ્યાએ લાચારી કરી, તુચ્છ જીવન માટે ગુલામી કરી, કેટલાયને સમજાવ્યા, સંભાળ્યા એ શરીર પ્રાણપંખેરું ઊડી જવાથી પડ્યું છે ઠાઠડી પર.જીવતાં જ મરવાનો આ પ્રયોગ કરી લો. આમેય તમારું શરીર મરેલું જ છેને ! એમાં દાટ્યું પણ શું છે ?ઠાઠડી ઉપર પડેલા શબ ઉપર લાલ કપડું બાંધવામાં આવી રહ્યું છે. લટકી પડેલી ડોકને વ્યવસ્થિત કરવામાં આવે છે. પગને કાથીથી બરાબર બાંધવામાં આવે છે કે જેથી રસ્તામાં મડદું ક્યાંક પડી ન જાય. ગળાની આસપાસ પણ દોરીના આંટા મારવામાં આવે છે. આખું શરીર કાથી વડે ગુંથી લેવામાં આવે છે. ઠાઠડી બનાવનાર કહી રહ્યો છે : ‘તું ત્યાંથી ખેંચ. ’ બીજો કહે છે : ‘મેં ખેચ્યું છે. તું ત્યાં ગાંઠ માર.’અરે પણ એ ગાંઠો ક્યાં સુધી રહેશે ? દોરી ક્યાં સુધી રહેશે ? હમણાં જ બળી જશે... અને દોરીઓ વડે બંધાયલો પણ બળવા માટે જ જઈ રહ્યો છે  !ધિક્કાર છે આ નશ્વર જીવનને ! ધિક્કાર છે આ નશ્વર દેહ ના મોહ ને ! ધિક્કાર છે દેહાધ્યાસ અને દેહાભિમાનને !ઠાઠડીને કસીને બાંધવામાં આવે છે. આજ સુધી તમારું નામ ‘શેઠ’ અને ‘સાહેબ’ બેન ,સર, કે ભાઈ ના લિસ્ટમાં હતું. હવે એ ‘મડદા’ના લિસ્ટમાં આવી ગયું. લોકો કહે છે : ‘મડદાને બાંધો જલદીથી.’ હવે એવું નહિ કહે ‘શેઠને, સાહેબને, નોકરને, સંતને, અસંતને બાંધો. ’તેઓ કહેશે ‘મડદાને બાંધો.’
આવી ગયો તમારા આખા જીવનની ઉપલબ્ધિઓનો અંત. આજ સુધી તમે જે કમાયા એ તમારું ન રહ્યું. આજ સુધી તમે જે જાણ્યું હતું એ મૃત્યુના એક જ ઝટકાથી છૂટી ગયું. તમારા ઈન્કમટેક્ષનાં કાગળિયાંઓને, તમારાં ‘પ્રમોશન’અને ‘રિટાયરમેન્ટ’ની બાબતોને, તમારી ઉપલબ્ધિ અને અનુપલબ્ધિઓને સદાય માટે વિદાય થવું પડ્યું.હાય રે હાય મનુષ્ય તારા શ્વાસ ! વાહ રે વાહ તારી કલ્પના ! હાય રે હાય તારી નશ્વરતા ! વાહ રે વાહ મનુષ્ય તારી વાસનાઓ ! આજ સુધી ઇચ્છાઓ સેવી રહ્યો હતો કે આટલું મેળવ્યું છે અને હજી આટલું મેળવીશ... આટલું જાણ્યું છે ને હજી આટલું જાણીશ... આટલાને પોતાના કર્યા છે ને હજી આટલાને પોતાના કરીશ. . . આટલાને સુધાર્યા છે ને હજી બીજાને સુધારીશ.
અરે ! તું પોતાને તો સુધાર ! પોતાને મોતથી તો બચાવ ! જન્મ- મરણના ચક્કરમાંથી તો છોડાવ ! જોઈએ આગળ તમારું શબ બંધાઈ રહ્યું છે. તમે ઠાઠડી સાથે એક થઈ ગયા છો. સ્મશાનયાત્રાની તૈયારી થઈ રહી છે. લોકો રડી રહ્યા છે. ચાર માણસો તમને ઉપાડીને ઘરથી બહાર લઈ જઈ રહ્યા છે. પાછળ પાછળ બીજા બધા લોકો ચાલી રહ્યા છે. કોઈ હૃદયપૂર્વક સ્મશાનયાત્રામાં આવ્યા છે અને કોઈ માત્ર દેખાવ કરવા આવ્યા છે. કોઈરિવાજ નિભાવવા આવ્યા છે કે સમાજમાં બેઠા છીએ તો...પાંચ-દસ જણ સેવા કરવાના ઈરાદાથી આવ્યા છે. એમને ખબર નથી કે  ! તમારી પણ આવી જ હાલત થશે. પોતાને ક્યાં સુધી સારા ગણાવશો ? સમાજમાં પોતાને ક્યાં સુધી ‘સેટ’ કરતા રહેશો ? ‘સેટ’ કરવા જ ઇચ્છતા હો તો પોતાને પરમાત્મામાં ‘સેટ’ કેમ નથી કરતા સાચો પ્રેમ કેમ સમજતા નથી..બીજાઓની સ્મશાનયાત્રામાં જવાનું નાટક કરો છો ? પ્રામાણિકતાથી સ્મશાનયાત્રાઓમાં જવાનું રાખજો. પોતાના મનને સમજાવતા રહેજો કે તારી પણ આવી જ હાલત થવાની છે. તું પણ આ જ પ્રમાણે ઊપડવાનો છે, આ જ પ્રમાણે જવાનો છે. ઓ બેઈમાન. ...મન ! તું ઠાઠડી વખતે પણ ઈમાનદારી નથી રાખતું ? ઉતાવળ કરાવે છે ? ઘડિયાળ જોતું રહે છે ? ‘ઓફિસે જવું છે... દુકાને જવું છે...’ અરે ! આખરે તો સ્મશાનમાં જ જવાનું છે એ પણ તું જરા સમજી લે. ઓફિસે જા, દુકાને જા, સિનેમામાં જા, ક્યાંય પણ જા, આખરે તો તું મશાણમાં જ જવાનો છે. તું બહાર કેટલે સુધી જઈશ ?
અરે પાગલ મનુષ્ય ! ઓ માયાનાં રમકડાં ! સદીઓથી માયા તને નચાવતી આવી છે. તું ઈશ્વર માટે ન નાચ્યો, પરમાત્મા માટે ન નાચ્યો તો માયા તને નચાવતી રહેશે. તું પ્રભુપ્રાપ્તિ માટે ન નાચ્યો તો માયા તને કેવી કેવી યોનિઓમાં નચાવશે ? ક્યારેક વાંદરાનું શરીર મળશે તો ક્યારેક રીંછનું, ક્યારેક ગંધર્વનું શરીર મળશે તો ક્યારેક વળી ગધેડાનું, ક્યારેક કિન્નરનું તો ક્યારેક વળી કૂતરાનું. પછી એ શરીરોને તું ‘હું’ માનીશ. કોઈને પ્રેમી,તો કોઈ ને પ્રેમિકા,કોઈ ને પોતાની મા, માનીશ તો કોઈને બાપ, કોઈને બેટો માનીશ તો કોઈને બેટી,તો કોઈ ને પતિ કે પત્ની, કોઈને કાકા માનીશ તો કોઈને કાકી. એ બધાંને તું પોતાનાં કરીશ. પછી ત્યાં પણ એક ઝાટકો આવશે મોતનો અને એ બધાંને છોડવાં પડશે, પારકાં કરવાં પડશે. આવી મુસાફરીઓ તું કેટલાય યુગોથી કરતો આવ્યો છે  ! આવા સંબંધો તું કેટલાય સમયથી ગોઠવતો આવ્યો છે.
‘મારા દીકરાનાં લગ્ન થઈ જાય... વહુ મારા કહ્યામાં રહે.. મારો નોકર વફાદાર રહે... દોસ્તોનો પ્યાર ટકી રહે...' ધારો કે આ બધું થઈ જાય તોય છેવટે ક્યાં સુધી ? ‘પ્રમોશન મળી જાય...’ મળી ગયું પ્રમોશન. પછી શું ? ‘લગ્ન થઈ જાય...’થઈ ગયાં લગ્ન. પછી શું ? ‘બાળક થઈ જાય...' બાળકો પણ થયાં. પછી શું કરશો ? છેવટે તમે પણ આ પ્રમાણે ઠાઠડીમાં બંધાશો. આ જ પ્રમાણે તમને ખભા ઉપર ઉપાડવામાં આવશે. છેવટે તમારા શરીરની જે હાલત થવાની છે એ જરાક જોઈ લો.આ સનાતન સત્યથી કોઈ બચી શકતું નથી. તમારા લાખો રૂપિયા તમને મદદ નથી કરી શકતા. તમારા લાખો પરિચયો તમને બચાવી નથી શકતા. આ પ્રક્રિયામાંથી તમારે પસાર થવું જ પડશે. બીજી બધી જ ઘટનાઓથી તમે બચી શકો છો પરંતુ આ ઘટનામાંથી તમને બચાવનાર આ પૃથ્વી પર આજ સુધી કોઈ થયું નથી અને થશે પણ નહિ. આથી આ અનિવાર્ય મોતને તમે અત્યારે જ જ્ઞાનની આંખ દ્વારા નિહાળી લો.તમારા પ્રાણહીન દેહને ઠાઠડીમાં બાંધીને લોકો લઈ જઈ રહ્યા છે સ્મશાન તરફ. લોકોની આંખોમાં આંસુ છે. એ આંસુ વહાવનારા પણ બધા આ જ પ્રમાણે જવાના છે. આંસુ વહાવવાથી જીવ નહિ બચે, આંસુ રોકવાથી પણ જીવ નહિ બચે. શબને જોઈને ભાગી જવાથી પણ જીવ નહિ બચે અને શબને વળગી પડવાથી પણ જીવ નહિ બચે. જીવ તમારો ત્યારે જ બચશે કે જ્યારે તેમને પ્રેમ થશે અને  આત્મસાક્ષાત્કાર થશે. જીવ તમારો ત્યારે જ બચશે કે જ્યારે સંત-મહાત્માનો કૃપા- પ્રસાદ તમને પચી જશે. જીવ તમારો ત્યારે જ બચશે કે જ્યારે ઈશ્વર સાથે તમારી એક થશે.. ! તમે આ મોતની દુર્ઘટનાથી કદી બચી નથી શકતા. આ કમ નસીબીથી આજ સુધી કોઈ નથી બચી શક્યું. आया है सो जायेगा, राजा रंक फकीर ।
કોઈની ઠાઠડી સાથે પચાસ માણસો હોય કે પાંચસો માણસો હોય, કોઈની ઠાઠડી સાથે પાંચ હજાર માણસો હોય કે માત્ર પાંચ માણસો હોય. એનાથી શું ફરક પડવાનો છે ? આખરે તો એ ઠાઠડી ઠાઠડી જ છે, શબ શબ જ છે.તમારા શબને ખભા ઉપર ઉપાડીને લઈ જવામાં આવે છે. કોઈએ એના પર ગુલાલ છાંટ્યો છે. કોઈએ ગલગોટાનાં ફૂલ મૂક્યાં છે. કોઈએ ફૂલનો હાર પહેરાવ્યો છે. કોઈ તમારી સાથે વિશેષ વ્યવહાર નિભાવે છે તો તમારા પર અત્તર છાંટે છે, ‘સ્પ્રે’ કરે છે. હવે શું ફરક પડવાનો છે અત્તરથી ? ‘સ્પ્રે’તમને હવે શું કામ લાગશે ....
શબ ઉપર ભલે ઈંટ-પથ્થર નાખી દો કે સોનાની ઈમારત ઊભી કરી દો, એના ઉપર ફૂલો ચડાવી દો કે હીરા-ઝવેરાત ન્યોચ્છાવર કરી દો. હવે એનાથી શું ફરક પડે છે ?ઠાઠડી ઘરથી બહાર જઈ રહી છે. લોકો ઠાઠડીને ઘેરી વળ્યા છે. ચાર જણે ખભા ઉપર ઠાઠડી ઉપાડી છે. બીજા ચાર એમની સાથે છે. ‘રામ બોલો ભાઈ રામ... રામ બોલો ભાઈ રામ...' તમારી સ્મશાનયાત્રા થઈ રહી છે જે ઘર માટે તમે કેટકેટલા ‘પ્લાન’ બનાવ્યા હતા એ ઘરથી તમે હવે જઈ રહ્યા છો... એ દ્વારથી તમે સદાયને માટે વિદાય લઈ રહ્યા છો... જે ઘરને બનાવવા માટે ઈશ્વરીય ઘરનો ત્યાગ કરી બેઠા હતા, જે ઘરને નિભાવવા માટે તમે પોતાના પ્યારા પરમાત્માના ઘરનો તિરસ્કાર કરી બેઠા હતા એ ઘરેથી તમે મડદાના રૂપમાં કાયમ માટે વિદાય લઈ રહ્યા છો. ઘરની દીવાલો ભલે રડતી હોય કે હસતી હોય, તમારે તો જવું જ પડે છે સમજુ લોકો કહી રહ્યા છે કે ‘શબને જલદી લઈ જાઓ. રાતનો મરેલો છે કા તો મરેલી છે તેથી જલદી લઈ જાઓ. નહિતર એનાં ‘વાયબ્રેશન’, એના જીવાણુઓ (બેક્ટેરિયા) ફેલાઈ જશે. બીજા લોકો બીમાર પડશે.’હવે તમને ઘડીભર રાખવાની કોઈની હિંમત નથી. ચાર દિવસ સંભાળવાનું સાહસ કોઈનામાં નથી. બધા પોતપોતાની જિંદગી જીવવા માગે છે. તમને બહાર કાઢવા માટે ઉત્સુક છે સમજુ લોકો. ‘જલદી કરો. સમય થઈ ગયો. ક્યારે પહોંચશો ? જલદી કરો જલદી કરો  !' આવાં સૂચનો અપાઈ રહ્યાં છે.
તમે ક્યાં સુધી ઘરને ચોંટ્યા રહેશો ? છેવટે લોકો તમને બાંધી- જકડીને જલદીથી સ્મશાનમાં જ લઈ જશે.
દેહ નો મોહ તોડવો પડશે. આ મોહ કારણે તમે ફસાઈ ગયા છો. આ મોહ ના કારણે તમે જન્મ-મરણના ચક્કરમાં ફસાયા છો. આ મોહ તમારે તોડવો પડશે. ભલે આજે તોડો કે એક જન્મ પછી તોડો અથવા એક હજાર જન્મ પછી તોડો.
લોકો તમને ખભા પર ઉપાડીને લઈ જઈ રહ્યા છે. તમે ખૂબ દૂધ- મલાઈ, માખણ-ઘી ખાધાં હશે તો ચરબી વધારે હશે. એનાથી લોકોને પરિશ્રમ વધારે પડશે અને ચરબી ઓછી હશે તો લોકોને પરિશ્રમ ઓછો પડશે. ગમે તે હોય, તમે તો અત્યારે ઠાઠડી પર આરૂઢ થઈ ગયા છો.યારો ! हम बेवफाई करेंगे. तुम होगे हम कंधे चलेंगे ।
हम पड़े रहेंगे तुम धकेलते चलोगे। यारो ! हम बेवफाई करेंगे | તમે લોકોના ખભે ચઢીને ત્યાં જઈ રહ્યા છો કે જ્યાં બધાએ અવશ્ય જવાનું છે. ‘રામ બોલો ભાઈ રામ... રામ બોલો ભાઈ રામ... રામ બોલો ભાઈ રામ.'ઠાઠડીવાળા ઝડપથી જઈ રહ્યા છે. એમની પાછળ પચાસ, સો માણસો જઈ રહ્યા છે. તેઓ અંદરોઅંદર વાતચીત કરી રહ્યા છેઃ ‘ભાઈ  કે બહેન સારા હતા... માલદાર હતા... સુખી હતા...’ અથવા ‘ભાઈ ગરીબ હતા... દુખી હતા... બિચારા જતા રહ્યા...'એ મૂર્ખાઓને ખબર નથી કે આપણે પણ આ જ રીતે જવાના છીએ. એ તમારા ઉપર દયા ખાઈ રહ્યા છે ને પોતાને શાશ્વત માની રહ્યા છે નાદાન! ઠાઠડી રસ્તા પર આગળ વધી રહી છે. બજારના લોકો બજાર તરફ દોડી રહ્યા છે. નોકરીવાળા નોકરી તરફ દોડી રહ્યા છે. તમારા શબ ઉપર કોઈની નજર પડે છે તો ક્ષણવાર ‘ઓ... હો’ કરીને વળી પાછા પોતાના કામ તરફ, પોતાના વ્યવહાર તરફ ભાગવા માંડે છે. એમને ખયાલ નથી આવતો કે હું પણ આ પ્રમાણે જવાનો છું. હું પણ મોતને ભેટવાનો છું. સાઈકલ, સ્કૂટર, મોટરમાં સવાર થયેલા લોકો સ્મશાનયાત્રા જોઈને ‘આહા...ઊહૂ’ કરતા આગળ ભાગી રહ્યા છે
 વ્યવહારને સંભાળવા માટે કે જેને છોડીને મરી જવાનું છે. છતાંય બધા એ વ્યવહાર તરફ જ જઈ રહ્યા છે.હવે તમે ઘર અને સ્મશાન વચ્ચેના રસ્તા પર છો. ઘર દૂર સરકતું જાય છે... સ્મશાન નજીક આવતું જાય છે. ઠાઠડી સ્મશાન પાસે પહોંચી. એક જણ સ્કૂટર લઈને ભાગ્યો અને સ્મશાનમાં જઈને લાકડાંની વ્યવસ્થા કરવા લાગ્યો. સ્મશાનવાળાને એ કહી રહ્યો છે : ‘લાકડાં આઠ મણ તોળો... બાર મણ તોળો... સોળ મણ તોળો. મરનાર સજ્જન હતા, સારા હતા તેથી લાકડાં વધારે વપરાઈ જાય તો કાંઈ વાંધો નહિ.' જેવી જેની પરિસ્થિતિ હોય છે એ પ્રમાણે લાકડાં ખરીદવામાં આવે છે. હવે શબ આઠ મણ લાકડાંમાં બળે કે અઢાર મણ લાકડાંમાં બળે, તેથી શું ફેર પડે છે ? ધન વધારે હશે તો દસ મણ લાકડાં વધારે આવશે અને ધન ઓછું હશે તો બે-પાંચ મણ લાકડાં ઓછાં આવશે. એથી શું ફેર પડવાનો છે હવે ? તમે તો દોસ્ત ! થઈ ગયા પારકા.હવે સ્મશાન બિલકુલ નજીક આવી ગયું છે. શુકન કરવા માટે ત્યાં બાળકોના વાળ વિખેરવામાં આવે છે. સાથે લાડુ લાવ્યા હતા એ કૂતરાને ખવડાવવામાં આવે છે.જેમને ખૂબ ઉતાવળ છે એ લોકો ત્યાંથી જ સરકીને જઈ રહ્યા છે. બાકીના લોકો તમને ત્યાં લઈ જાય છે કે જ્યાં બધાને જવાનું જ છે.
લાકડાં ગોઠવવાવાળા ત્યાં લાકડાં ગોઠવી રહ્યા છે. બે-પાંચ મણ લાકડાં નીચે ગોઠવવામાં આવ્યાં. એના ઉપર તમારા શબને લોકો મૂકી રહ્યા છે. બોજો ખભેથી ઊતરીને હવે લાકડાં ઉપર પડી રહ્યો છે. ત્યાં પણ બોજો કેટલીવાર સુધી રહેશે ભાઈ !
ઘાસના પૂળા, નાળિયેરની કાચલી, માચીસ, ઘી અને દીવેટ તૈયાર કરવામાં આવે છે. તમારું અંતિમ સ્વાગત કરવા માટે આ ચીજો અહીં લાવવામાં આવી છે. અંતિમ વિદાય....
આ શરીરને તમે હલવો-પૂરી ખવડાવીને પાળ્યું કે લૂખી-સૂકી રોટલી ખવડાવીને ટકાવ્યું તેથી હવે શું ફરક પડે છે ? ઘરેણાં પહેરીને જીવ્યા કે ઘરેણાં વગર જીવ્યા તેથી શું ફરક પડે છે ? આખરે તો એની સંભાળ અગ્નિ દ્વારા લેવામાં આવશે. માચીસ દ્વારા તમારું સ્વાગત કરવામાં આવશે.આ શરીર માટે તમે કેટકેટલાં પાપ કર્યાં ? કેટકેટલા સંતાપ સહ્યા ? આ શરીર માટે તમે કેટલાય લોકોનાં દિલ દુભાવ્યાં ? આ શરીર માટે જ તમે પરમેશ્વર સાથેનો સંબંધ તોડ્યો હતોને.જુઓ, હવે શું થઈ રહ્યું છે ? ચિતા ઉપર પડ્યું છે તમારું શરીર. એના ઉપર મોટાં મોટાં લાકડાં ગોઠવાઈ રહ્યાં છે. આગ જલદી લાગે એટલા માટે સાથે સાથે નાનાં લાકડાં પણ મૂકવામાં આવે છે.બધાં જ લાકડાં ગોઠવાઈ ગયાં. વચ્ચે વચ્ચે ઘાસ પણ રાખવામાં આવ્યું છે કે જેથી કોઈ ભાગ કાચો ન રહી જાય, માંસનો એક પણ ટુકડો બચી ન જાય.એક માણસ દેખરેખ રાખે છે, ‘મેનેજમેન્ટ’ કરી રહ્યો છે. ત્યાં પણ નેતાગીરી નથી છૂટતી. એની ખોપડીમાં આગેવાની ચાલુ છે. ‘આમ કરો... તેમ કરો...' એ સૂચનાઓ આપી રહ્યો છે.અરે ચતુરાઈ બતાવનારા ! તારું પણ એ જ થવાનું છે. સમજી લે મનુષ્ય મારા ! મડદું બાળવામાં પણ આગેવાની જોઈએ ? ત્યાં પણ કંઈક વિશેષતા જોઈએ ? વાહ વાહ !!હે અજ્ઞાની મનુષ્ય ! તું શું શું ઇચ્છે છે ? હે નાદાન માનવ ! તેં શું શું કર્યું છે ? ઈશ્વર સિવાય તે કેટલાં નાટક કર્યાં ? ઈશ્વરને છોડીને તેં ઘણું બધું પકડ્યું છે. હજારો વખત તારી પાસેથી છોડાવવામાં આવ્યું છે અને આ જન્મમાં પણ છોડાવવામાં આવશે. તું જરાક સાવધાન થઈ જા, મનુષ્ય મારા !ઠાઠડી ઉપર લાકડાં ‘ફીટ’ થઈ ગયાં છે. તમારા પુત્રો, તમારા બાંધવો, તમારા સ્નેહીઓ મનમાં કંઈક ભાવ લાવીને આંસુ સારી રહ્યા છે. કેટલાક સંબંધીઓ આંસુ નથી આવતાં તેથી શરમિંદા થઈ રહ્યા છે. બાકીના લોકો ગપ્પાં મારવા બેસી ગયા છે. કોઈ સ્કૂટરની સફાઈ કરી રહ્યા છે તો કોઈ પોતાનાં કપડાં બદલવામાં વ્યસ્ત છે. કોઈ દુકાને જવાની તજવીજમાં છે તો કોઈ બહારગામ જવાનો કાર્યક્રમ ગોઠવી રહ્યા છે. તમારી ચિંતા કોણ કરે છે ? ક્યાં સુધી લોકો તમારી ચિંતા કરશે ? તમને સ્મશાન સુધી પહોંચાડી દીધા, ચિતા પર સુવડાવી દીધા. દીવાસળી દાનમાં દીધી. વાત પૂરી થઈ ગઈ.લોકો હવે જવા માટે આતુર થયા છે. ‘હવે ચિતાને દીવાસળી ચાંપો. ઘણું મોડું થઈ ગયું. જલદી કરો જલદી કરો...’ ઇશારા થઈ રહ્યા છે. આ મિત્રો જ પહેલાં તમને કહેતા હતા : ‘બેસોને... તમે મારી સાથે જ રહો. તમારા વિના ચેન નથી પડતું. ' હવે તેઓ જ કહી રહ્યા છે : ‘જલદી કરો... આગ લગાડો... અમે હવે જઈએ... જાન છોડો અમારો...’વાહ રે વાહ સંસારના મિત્રો ! વાહ રે વાહ સંસારના સગા- સંબંધીઓ ! ધન્યવાદ... ધન્યવાદ ! તમારી પોલ જોઈ લીધી.પ્રભુને મિત્ર નહિ બનાવો તો આવા જ હાલ થવાના છે. આજ સુધી જે લોકો તમને ‘સાહેબ... શેઠ... દોસ્ત...’કે ..બહેન... કહી રહ્યા હતા, જેઓ તમારા લંગોટિયા મિત્ર હતા તેઓ જ આજે જલદી કરી રહ્યા છે. એ લોકોને ભૂખ લાગી છે. બહાર તો નથી કહેતા પણ અંદર કહી રહ્યા છે કે : ‘હવે વાર ન લગાડો. એમને જલદી સ્વર્ગે પહોંચાડો. માથા તરફથી આગ લગાડો જેથી જલદી સ્વર્ગે જાય.’એ તો શું સ્વર્ગમાં જશે ! એનાં કર્મ અને માન્યતા જેવી હશે એવા સ્વર્ગમાં એ જશે. પરંતુ તમે ભોજનરૂપી સ્વર્ગે જરૂર પહોંચશો. તમને અહીંથી રજા મળશે.
નાળિયેરની કાચલીમાં ઘી નાખે છે. જ્યોત પ્રગટાવે છે. તમારા  જીવનને સદાય માટે નષ્ટ કરવા જ્યોત સળગાવવામાં આવે છે. આ જ્યોત બ્રહ્મજ્ઞાની ગુરુની નથી, સદ્ગુરુની જ્યોત નથી. આ તમારા મિત્રોની જ્યોત છે. જેમના માટે તમે પોતાનું સમગ્ર જીવન ખોઈ રહ્યા હતા એ લોકો તમને આવી જ્યોત આપશે. જેમની પાસે જવા માટે તમારી પાસે સમય ન હતો એ સદ્ગુરુની જ્યોત હજી તમે જોઈ જ નથી ભાઈલા !
લોકો જ્યોત સળગાવે છે. માથા તરફ લાકડાં વચ્ચે જે ઘાસ છે એને જ્યોતનો સ્પર્શ કરાવે છે. ઘાસના પૂળાને આગ ઘેરી લે છે. પગ તરફ પણ એક જણ આગ લગાડી રહ્યો છે. ભભુક. . . ભભુક... આગ ચાલુ થઈ ગઈ. તમારા ઉપર વીંટાળેલાં કપડાં સુધી આગ પહોંચી ગઈ. લાકડાં ધીરે ધીરે અગ્નિ પકડી રહ્યાં છે. હવે તમારા મિત્રોને જરૂર નથી કે ફાયર બ્રિગેડ બોલાવી લે. હવે ડોક્ટર-હકીમોને બોલાવવાના સંજોગો નથી. જરૂર પણ નથી. હવે બધાને ઘરે જવું છે. તમને છોડીને વિદાય થવું છે.ધૂમાડો નીકળી રહ્યો છે. આગની જ્વાળાઓ લપકારા મારી રહી છે. જેઓ નજીકના સ્નેહી અને સાથી હતા તેઓ પણ અગ્નિના તાપથી દૂર ભાગી રહ્યા છે. ચારે બાજુ પ્રજ્વલિત અગ્નિ વચ્ચે તમારે એકલા બળવું પડે છે. મિત્રો-સ્નેહીઓ, સંબંધીઓ, બાળપણના ગોઠિયા બધા દૂર સરકી રહ્યા છે.હવે કોઈ કોઈનું નથી. બધા જ સંબંધો મોહ ના સંબંધો... મોહ માં જરાક તાપ સહેવાની તાકાત ક્યાં છે ? મૃત્યુનો એક ઝાટકો સહેવાની તાકાત ક્યાં છે ? તમારાં સગાં-સંબંધીઓમાં મોતની એક ચિનગારી સહેવાની તાકાત ક્યાં છે ? છતાં પણ તમે સંબંધોને પાકા કરવા મથી રહ્યા છો. તમે કેટલા ભોળા મહેશ્વર છો ! તમે કેટલા નાદાન મહેશ્વર છો ! હવે જોઈ લો હકીકત.ચિતાને આગ ઘેરી વળી છે. લોકોને ભૂખ ઘેરી વળી છે. કેટલાક લોકો ત્યાંથી હળવે રહીને ખસી ગયા. કેટલાક લોકો હવે ત્યાં રહ્યા છે.
 એક નોકર પણ હાથમાં ચીપિયો લઈને ત્યાં ઊભો છે. એ કાળજી રાખે છે કે લાકડાં આડાં-અવળાં ન થઈ જાય. લાકડું નીચે પડી જાય તો એ ફરીથી તમારા માથા ઉપર ચડાવી દે છે. હવે આગ બરાબર ફેલાઈ ગઈ છે. ચારે બાજુ ભભુક...ભભુક... અગ્નિ બળી રહ્યો છે. માથા બાજુ આગ... પગ બાજુ આગ. વાળ તો એવા બળ્યા કે જાણે ઘાસ બળ્યું ! માથાને પણ આગે ઘેરી લીધું છે. મોંમાં ઘી નાખેલું હતું, વાટ નાખેલી હતી, આંખો ઉપર ઘી ચોપડેલું હતું.
મત કર રે ભાયા ગરવ ગુમાન ગુલાબી રંગ ઉડી જાવેલો. મત કર રે ભાયા ગરવ ગુમાન પ્રેમીરો રંગ ઉડી જાવેલો ॥ ઉડી જાવેલો રે ફીકો પડ જાવેલો રે કાલે મર જાવેલો, પાછો નથી આવવો... મત કર રે ભાર રે પ્રેમી તારી ફરી કો ની રે વેલા...इने जातें नहीं लगे वार गुलाबी रंग उड़ी जावेलो ॥ પતંગી રંગ ઉડી જાવેલો... મત કર મોહ.. ધન રે દૌલત તારા માલ ખજાના નો... છોડી જાવેલો રે પલમાન ઉડી જાવેલો || પાછો નથી આવેલો... મત કર મોહ ઘણા રે લાયો ને ઘણા લે જાવેલો ભાયા.... ઘણા કોની હાલે થરે સાથે ગુલાબી રંગ ઉડી જાવેલો પતંગી રંગ ઉડી જાવેલો...મત કર રે
તમારા આખા શરીરને સ્મશાનની આગે ઘેરી લીધું છે. લાકડાં પૂરજોશથી બળી રહ્યાં છે. એક જ ક્ષણમાં એણે પોતાના ભોગનો સ્વીકાર કરી લીધો છે. આખું શરીર કાળું થઈ ગયું. કપડાં બળી ગયાં. કફન બળી ગયું. ચામડી બળી ગઈ. પગનો ભાગ નીચે લબડી રહ્યો છે, પડવા લાગ્યો છે. ચરબીને આગ સ્વાહા કરી રહી છે. હજી યે મનુષ્ય તમને જીવતા તમારી હાલત બતાવી દીધી જો સમજાય જાય તો સમજી જાઓ..
કાઈ નથી આ મનુષ્ય જીવન માં તમે આ જીવન પરમાત્મા તરફ વાળી લો પરમાત્મા માં એક થય જાવો..એક મોક્ષ નો માર્ગ તમને આ બધા બધન માંથી મુક્ત કરી શક્શે અને જો મોક્ષ નો માર્ગ સમજવો હોય તો પહેલાં પ્રેમ ને સમજી જાવો.....પ્રેમ તમને મોક્ષ ના માર્ગ સુધી લય જશે એવી પરમાત્માને હું પ્રાથના કરીશ...
                             _   મનોજભાઈ સોલંકી

માર્ચ 31, 2023

પ્રેમ ની પરિભાષા 2

નમસ્કાર મિત્રો હવે તમે પ્રેમ ની પરિભાષા માં આગળ ના પડાવ માટે તૈયાર છો? મોહ સમજાય ગયા પછી નો પડાવ આવે છે..ક્રોધ... ચાલો સમજીએ..
                          ક્રોધ
              ક્રોધ એટલે ગુસ્સો..... માફી ચાહું છું.?
     આટલી રાહ જોવડાવી ભાગ 2બનાવવા માં તો ક્રોધ સમજાય જ ગયો હશે ને કે ક્રોધ શું.? કેમ કે ક્રોધ ના ગણા કારણો હોય સે પણ એમાં એક કારણ ઇંતજાર પણ હોય સે હવે કદાચ કોઈ પ્રેમી કે પાત્ર મોહ ના પડાવ પાર કરે એટલે તે ક્રોધ ના પડાવ માં ફસાય જાય સે આમાં પાત્ર એક બીજાને રાહ કે ઇંતજાર કરાવે છે આના કારણે બીજા પાત્ર ને તેના પર ક્રોધ આવતો હોય સે જ્યાં ગણા પાત્રો રાહ જોવા ની હદ પાર થાય અને સામે પાત્ર વધુ રાહ જોવડાવે તો તે સહન નથી કરી શકતા અને આમ તેમના સબંધ નો અંત આવી જાય છે..
   કદાચ આ કારણ ના હોય તો બીજા પણ કારણ હોય છે પાત્ર પ્રેમ માં હોય એટલે એક બીજાની પસંદ ના પસંદ જાણી લેતા હોય છે કયો કલર , કેવા કપડાં, કેવું ભોજન, કેવા માણસ ,કેવા શોખ વગેરે ....આ બધું જાણી અને પાત્ર ને ગમે તેવું વર્તન કરતા હોય છે અને આમાં ક્યાંક ભૂલ થાય કે પાત્ર ને ના ગમતું વર્તન કે કામ કર્યું તો પાત્ર ને તેના બીજા પાત્ર પર ક્રોધ આવે છે અને આમાં બને પાત્ર લડાઈ જાય છે આવી નાની નાની લડાઈ વધી જાય એટલે પાત્ર ને એક બીજા થી નફરત થાય છે અને આમ તેમના સંબધ નો અંત થાય છે અને પાછા કહે અમે પ્રેમ ના અલગ પડિયા...આ પ્રેમ ના હતો આતો ક્રોધ સે એ વાત તેવો સમજી સકતા નથી...
    ક્રોધ માં અગલ થાય અને જો  ના સમજી સકે તો બને ના રસ્તા અલગ થાય છે ..હવે બને પાત્રો એક બીજા પર ક્રોધ કરે છે જે સામે વાળા પાત્ર ને ના ગમે એજ કરે તેને બળવા માટે જો કોઈ પાત્ર એ કહ્યું હોય કે આની સાથે વાત ની કરવાની ,આના ગાડી માં કે બાઈક માં ના બેસવાનું ,આં જગ્યા એ ના જવાનું આ બધું યાદ રાખી જયારે ક્રોધ માં અલગ થયાં હોય એટલે સામે વાળા પાત્ર ને બતાવવા અને જલન કરાવવા વાર વાર સામે વાળા પાત્ર ને ક્રોધ આવે એ વું કાર્ય કર્યા કરે છે આમ આખરે તે ક્રોધ માં જ અલગ પડે છે.અને આખા જગત આગળ પ્રેમ માં ધોકો મળ્યો મારો પ્રેમ દગા બાજ ,પ્રેમ માં દગો મળ્યો આવી ખોટી વાતો બતાવતા હોય છે તમેજ કહો કે આ પાત્રો શાના કારણે અલગ પાડયા ?અને શેમાં અલગ પાડયા ?ક્રોધ માજ ને તો કેમ પ્રેમ ને બદનામ કરે છે .આગળ ની વાત કરું તો ગણા પાત્ર ને મે ક્રોધ માં ખૂબ ગલત નિર્ણય લેતા પણ જોયા છે ક્રોધ માં ને ક્રોધ માં એક બીજા પાત્ર ને બાળવા એટલે કે જલન કરવા માટે ગણા પાત્ર પોતાના પ્રેમ ને છોડી ને બીજે પ્રેમ સંબંધ પણ બનાવી લેતા હોય છે કા તો પોતાના પાત્રો ને બદલી લેતા હોય છે.ગણા પાત્ર તો ક્રોધ માં પોતાના પ્રેમ સબંધ ને તોડી બીજે લગ્ન પણ કરી દેતા હોય છે .ક્રોધ માં સામે વાળા પાત્ર ને બાળતા - બાળતા પોતે બાળતા હોય એનું ભાન રહેતું નથી આમ ક્રોધ માં લગભગ ગણા પ્રેમી ગલત નિર્ણય લેતા હોય છે અને અલગ પડતા હોય છે .અને આખરે બદનામ તો પ્રેમ નેજ કરે છે તેઓ સાચી વાત સમજી સકતા નથી ચાલો આગળ ની વાત કરીએ કોઈ પ્રેમી ક્રોધ ના પડાવ માંથી નીકળી જાય ક્રોધ ને સમજી જાય તો તેની સામે નવો પડાવ રાહ જોઈ બેઠો હોય છે અને એ પડાવ નું નામ અહંકાર ,આ પડાવે પણ ઘણા પ્રેમી યો ને દૂર કર્યા છે.આના વિશે આગળ સમજ છું 
   હા એક વાત બીજી એક વાર તમે તમારા દિલ પર હાથ મૂકી મને મેસેજ કરજો તમે કયાં પડાવ પર પ્રેમ થી દુર થયા છો ...કેમ કે આ ક્રોધ ના પડાવ માં 80% પ્રેમી યો દુર થયા છે ...
      

ફેબ્રુઆરી 27, 2023

મારો પ્રેમ (ઇંતજાર)

      આગળ વાંચો તે પહેલાં તમારો આભાર ..
જયારે સવારે ઊભા થય જોવું તો તનું હતીજ નહી હવે કયા ગઈ હશે..? આમ તેમ ગોતવા લાગ્યો પણ આટલા બધા મહેમાનો વચ્ચે ક્યાં મળે આખરે કંટાળી મારા કાકી ને કહ્યું તનું ક્યાં છે?કેમ દેખાતી નથી !....મારા કાકી થોડું હસી અને કહે તારે શું કામ છે.?હું આગળ કંઈ બોલી જ ના શક્યો ત્યાં થી ચાલતો થયો મારી આંખ પણ ભીની થઇ ગઈ સવાર ની હજી ચાય કે નાસ્તો પણ નથી કર્યો કાઈ બાજુ જાવ કોને કહું ખબર નહતી પડતી એવા માં મારી મમ્મી મને શોધતી શોધતી મારી પાસે આવી કહે શું કરે છે અહી.... ચેહરો  પણ હજી ધોયો નથી કે સ્નાન પણ કર્યું નથી લાગતું... કેમ આમ ફરે છે અહી અને ચાય નાસ્તો કર્યો કે નહી ...આ ઘર નથી મનીષ કે તું આવા નાટક કરે છે હમણાં તારા પપ્પા ને ખબર પડશે કે તું આમ આવો ફરે છે તો તેને અને મને બને ને બોલશે ..ચલ જલ્દી તૈયાર થઇ જા કેટલા મહેમાનો વચ્ચે તું આવો ફરે છે ..હું મમ્મી ની વાત પૂરી થાય તેની જ રાહ જોય બેઠો હતો ..મારી મમ્મી જેવી બોલવા નું બંધ કર્યું કે સીધો પ્રશ્ન કર્યો તનું અને તેના મમ્મી,પપ્પા કેમ દેખાતા નથી તે ઓ ક્યાં ગયા ...? મારા મમ્મી કહે તે સવારે જ જતા રહ્યા કેમ કામ કામ હતું ..?ના ના બસ એમજ દેખાણા નહી એટલે પૂછી લીધું મમ્મી કહે ચલ હવે ચાય પીલે જલ્દી... મારે તો તનું જતી રહી ક્યાં હશે.હજી બસ સ્ટેશન હસે વાત યાદ આવતા હુ શીધો બસ સ્ટેશન તરફ ગામમાં દોડ્યો મારી મમ્મી મને ચાય ...કરી પાછળ બૂમો મારવા લાગી મે તેમની વાત પર ધ્યાન ન આપ્યું બસ સ્ટેશન આવીને જોયું તો....એક મિનિટ માટે હું ચૂકી ગયો મે તનું ને દુર થી બસ પર ચડતા જોઈ પહેલી વાર મને સમય ની કિંમત ખબર પડી આ એક મિનીટ માટે મોડો પડ્યો હું મન માં ને મન માં પોતાને કોષતો રહ્યો હું દોડવામાં થોડી જડપ કરી હોતો ,ના મારી મમ્મી યે મારો સમય બગાડિયો,ના હુ ઉઠયો જ મોડો હતો,ના તનું યેજ મને ઉભો ના કર્યો...આમ બધી બાજુ થી વિચાર કરી જોયો કોઈ નો વાંક ના મળ્યો આખરે મે પોતાનો જ વાંક કઢિયો .છેવટે બસ રસ્તા પર થી દેખાતી બંધ ના થઈ ત્યાં સુધી બસ ની સામે એક જ નજર જોતો રહ્યો જાણે મારું બધું લૂંટાઈ ગયું હોય એવું લાગતું હતું જાણે હું હારી ગયો હવે શું કરું મિત્રો આગળ જઈને શું વાત કરું? ઘરવાળાને શું કહીશ તનું આવશે કે નહી ઘણા બધા પ્રશ્નો દીમાગ માં ફરવા લાગ્યા મગજ શાંત નહોતું દિલ શાંત ન હતું હૃદયના ધબકારા વધવા લાગ્યા  હતા ત્યાંથી ચાલવા માટે કદમ પણ રાજી ના હતા બસ પણ દેખાતી ન હતી. નિરાશા ઘણી બધી જીવનમાં  અંધારું પથરાઈ ગયું હોય એવું લાગતું હતું આંખે નિરાશ થાય હું ઘર તરફ ચાલ્યો.. મમ્મી મારી વાટ જોઈ ને જ બેઠી હતી કહેવા લાગી ક્યાં ગયો હતો આમ સાંભળતો પણ નથી ક્યાં દોડ દોડ કરે છે હજી પણ નાહયો નથી તૈયાર પણ નથી થયો. ચાય પણ નથી પીધી કેમ આમ તું ફરે છે શું કરવા માંગે છે  કંઈ ખબર પડતી નથી ચાલ જલ્દી ચા પી લે મેં ધીમા અવાજે  જ કહ્યું મેં ચાય છોડ દીધી આમે તમે કહેતા હતા કે ચાઈની પીવાની ચાય પીવો  તો દોડી ના શકો બસ આજથી મે ચાય પણ છોડી દીધી મારે હવે ચા નથી પી વી હું દોડવા માગું છું મારે ચા નથી સાચું હું હવે  આજથી ચા બંધ બસ તમે કેટલા દિવસથી સમજાવતા હતા કે ચાય મત પીવો તો સારું હતું મારે હવે ચા નથી પી વી મમ્મી મારે ઘરે જાવું છે મારે ખૂબ લેસન આપ્યું છે સાહેબે આટલું કહેતા હતા તો હું રડી ગયો મમ્મી કે કેમ રડવા  લાગ્યો મેં કીધું મારે ખૂબ જ લેસન બાકી છે હું લેસન નહીં કરું તો મને માર પડશે મારે લેસન કરવું છે હું ઘરે જાવ છું મમ્મી કહે સારું આપણે એક જ કલાક જમીને અને પ્રસાદ લય આપણે નીકળી જઈએ તું ચિંતા ના કર પછી તું લેસન કરી દેજે બસ હું તારા સાહેબને વાત કરિશ...આમ અમે 2 કલાક પછી અમારા ઘરે આવતા રહ્યા ઘરે આવતા પહેલા અમે મોહલ્લામાં પગ મુક્યો પગ મુકતા સાથે એટલી બધી યાદ.. કે ખબર જ ના પડે જ્યાં જો ત્યાં તનું ,તનું સાથે એક એક દિવસ એક એક પળ મને યાદ આવતો હતો જાણે તનું જ હોય એવું લાગતું તું મને મારા મોહલ્લા થી  મારા ઘર સુધી લગભગ ચાલવાનું છે એક એક ડગલે તનું મને યાદ આવતી હતી કંઈ ખબર નથી પડતી કે શું કરું હવે બે દિવસ જ સ્કુલ ખોલવાના દિવસો બાકી હતા મlન મસ્તિક ઉપર તનું જ સવાઈ ગઈ હતી એના સિવાય કશું વિચાર આવતો પણ નહોતો હું વિચાર કરી પણ શકતો ન હતો આખરે હું મૌન થઈ ગયો કશું બોલવું ચાલવું બધું બંધ કરી દીધું કાઇ પણ બોલતો નથી વિચારો સાથે જીવવાનું ચાલુ કર્યું  સ્કૂલના દિવસો નજીક આવી ગયા સ્કૂલ ચાલુ થઈ ગઈ  સ્કૂલમાં ભણવાનું ચાલુ કર્યું દોસ્તારો વચ્ચે મસ્તી મોજ બધું ઓછું થઈ ગયું મિત્રો કહે તું બદલાઈ ગયો છે મનીષ પહેલા જેવો નથી રહ્યો કેમ શાંત થઈ ગયો છે શિક્ષકો પણ કહે મને તું કેમ બોલતો નથી હવે વધારે પેલા તો કેટલી મસ્તી કરતો? હવે તો ભણવામાં પણ તારું ધ્યાન નથી લાગતું  કે શું થયું હું હંમેશા કંઈ નહિ જવાબો સાથે સંકળાય ગયો  કોઈ પણ પ્રશ્ન પૂછે મારા જવાબ ના જ આવતા કતો કંઈ નહિ,ખબર નથી બસ વધારે બોલવું ગમતું જ ના હતું પહેલા કોઈ મૂવી જોતો તો જુદાઈ માં જે હીરો ,હિરોઈન એક્ટિંગ કરતા તો તેના પર હું હસતો અને આજે આવા સીન કે એક્ટિંગ કે સોંગ જોવું કે સાંભળું તો આખો માં આશુ આવી જતા સાચે જુદાઈ સુ સે એ દિવસે બધો એહસાસ થયો આમ લગભગ 3 મહિના ઉપર મે મારા મન અને દિમાગ ને મનાવી લીધું કે તનું બીજા વેકેશન માં આવવાની છે મને વચન આપ્યું હું કેમ ભૂલી ગયો બસ મારે હવે જીતવાનું છે તનું ની બધી વાતો હું યાદ કરતો રહ્યો દુનિયા જીતવા પ્રેમ અને પવિત્રતા જોવે હવે પવિત્રતા તો તનું સમજાવી ગઈ બસ મારે પ્રેમ સમજવાનો હતો હું મારા બધા વિચારો અને કામ સાઈડ માં મૂકી પ્રેમ ની શોધ માં નીકળી પડ્યો મિત્રો ને પૂછવા લાગ્યો મારા એક મિત્ર યે મને એ વખત માં એક શાયરી કહી "મહેંદી રંગ લાતી હે સુખ જાણે કે બાદ ,તનું કી યાદ આતી હે ઉસકે દુર જાને કે બાદ" મે જીવન માં પહેલી વાર મે શાયરી સાંભળી મને ખૂબ ગમી મારો મિત્ર કહે મને ખબર જ હતી કે તું તનું ને પ્રેમ કરે છે અને એની યાદ માં આવો થય ગયો હતો હું બોલ્યો હા પણ પ્રેમ એટલે શું?કહોતો  મને કહે કોઈ છોકરી ,છોકરાને પસંદ કરે અને બોલાવે તેને જ પ્રેમ કહેવાય...પણ મને આ જવાબ ના પસંદ આવ્યો હું જે મને તેને એકજ પ્રશ્ન કરતો પ્રેમ એટલે શું?જેવા લોકો અને જેવો સ્વભાવ તેવી રીતે મને પ્રેમ નું ઉદાહરણ આપતા પણ મને ના સમજાતું બસ મળે તો પ્રેમ શું એ પ્રશ્નનો જવાબ જ જોતો હતો હું ધીરે ધીરે શાયરી નો શોખીન થઈ ગયો મે ખુદ કેટલાય ચોપડા માં  શાયરી લખી દીધી બસ એક જ ઈચ્છા સાથે એક જ વિચાર સાથે કે જ્યારે પણ તેનું આવશે એ દિવસે હું આ બુક સારી તનું ને વાંચી સંભળાવીશ બસ આ આશા સાથે મૂકી રાખી છે   ત્યારબાદ અમુક અમુક મિત્રો મળ્યા તેમને પ્રેમપત્રોની વાતો કરી તો મેં તનું  માટે ઘણા પ્રેમ તો પણ લખી રાખ્યા છે કે ક્યારેક તનુ મળશે ક્યારેક તનુ આવશે પેલા વેકેશનમાં તનુ આવશે તો હું જરૂર આપીશ હું મારા પ્રેમ ને વ્યક્ત કરીશ પ્રેમ કરું છું એવું સાબિત કરીશ જે મિત્રો જે લોકો પ્રેમ વિશે જે જે વાતો કરતા હોય એવો થતો ગયો લોકો કહે આમ કરવાનું તો હું એમ કરતો સાથે સાથે લોકો કહે કે જેમ સામેવાળી છોકરીને ગમે તેવું કરવાનુ હું તેમ કરવા લાગ્યો રહેવા લાગ્યો જે પ્રેમમાં કરવાનુ હોય તે   કરતો રહ્યો બસ એક જ આશા સાથે વેકેશનમાં આવશે અને પ્રેમ કરું છું એ સાબિત કરીશ પણ પ્રેમ શું છે હજી તો ખબર નથી પડીએ એ સમયમાં mobile  ટેકનોલોજી પણ નથી પ્રેમ ને કેવી રીતે શોધવો શું કરવું કંઈ ખબર નથી પડતી બસ કોઈપણ વાત હોય કોઈપણ પ્રશ્ન હોય તો દોડતા દોડતા મિત્રોને પાસે જઈએ તેનું સોલ્યુશન કાઢીએ બસ વાત મગજમાં ઉતારીએ આના સિવાય બીજું કંઈ ન હતું હવે ધીરે ધીરે સમય થોડો હળવો થતો ગયો અને સ્કૂલના દિવસો પણ કપાતા ગયા અમારી વાર્ષિક પરીક્ષા પણ આવી ગઈ અને અમારું વેકેશન પણ હવે અમારી રાહ જોઈ બેઠો હતો થોડા દિવસોમાં અમે વેકેશનના નજીક જ હતા મારો સાતમા ધોરણનું રિઝલ્ટ પણ થોડું ખરાબ આવ્યું હતું. દર વખતે જે પ્રથમ નંબર મેળવનાર વ્યક્તિ આજે બીજા ક્રમે હતો પણ કશો વાંધો ન હતો કશું દુઃખ નહોતું બસ વેકેશન ક્યારે પડે એની રાહ જોઈ બેઠો હતો. કેમ કે તનું આવવાની હતી બસ આ આશા  સાથે મારા વેકેશનના ચાર દિવસ બાકી હતા ચાર દિવસ પછી વેકેશન પડવાનું હતું તનું  પણ આવવાની હતી. 
કે શું થયું કે કુદરતને મંજૂર નહોતું કે ભગવાનને મંજૂર નહોતું કે અમારી કંઈ ભૂલ થઈ ભૂલ તો કઈ ભૂલ થઈ કે તનું તો આવી પણ એ વેકેશનમાં ન તો અમારે વાત થઈ ના તનું મને જોવા મળી બસ શું થયું એના વિશે હું આગળ વાત કરીશ
         એક વર્ષ ના ઇંતજાર પછી તનું તો આવી પણ અમારી મુલાકાત ના થઈ કેમ આના વિશે આગળ બતાવીશ.....

ફેબ્રુઆરી 17, 2023

પ્રેમ ની પરિભાષા

પ્રેમની પરિભાષા

                                               

                              અનુક્રમણિકા

              * વ્યક્તિ ના મંતવ્ય *
             1 આકર્ષણ
             2 ભય
             3 મોહ
            4 ક્રોધ
           5 ઇર્ષા
           6 અહંકાર
           7 સમર્પણ
           8  પ્રેમ
       *  ઉપદેશ..
 








                    🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼


                               પ્રસ્તાવના 

પ્રેમ ની પરિભાષા સમજ વી જેટલું આસાન સે એટલું જ ખૂબ અઘરું છે...
આગળ બતાવેલા અનુક્રમ પ્રમાણે જ પ્રેમ સુધી પહોંચી શકાય છે પ્રેમ ને
 સમજ વો સામાન્ય વ્યક્તિ ના હાથ માં નથી ખુદ ભગવાન કૃષ્ણ તેમજ 
શ્રી રાધા પ્રેમ ને સમજાવવા આ પૃથ્વી પર અવતાર લીધો હતો શ્રી રાધા
પ્રેમ ની દેવી ગણાય સે  અને શ્રી કૃષ્ણ પ્રેમ દેવતા ગણાય સે સતા પણ આ
સંસાર ને પ્રેમ સમજાવ વામાં ગણી કથીનાય માં થી પસાર થવું પડ્યું હતું
પ્રેમ નો સંદેશો સંતો , મહાપુરુષો, પંડિતો, દેવી,દેવતા, ગંધર્વ, અપ્સરાઓ,
તેમજ ઋષિ મુનિ ...વગેરે જેવા મહાન વ્યક્તિ ઓ પ્રેમ સમજાવ વા માં ગણી 
ભૂમિકા ભજવી સે સતાં મનુષ્ય હજી પ્રેમ સમજી શક્યો જ નથી પ્રેમ આ 
સંસાર માંથી મુક્તિ નું કામ કરે છે આ સંસાર આખો પ્રેમ થી ચાલે સે આ સંસાર 
માં કોઈ એવી ચીજ કે વસ્તુ કે વ્યક્તિ નથી જે પ્રેમ થી ના પામી શકાય આ
 કળિયુગ પ્રેમ વ્યક્તિ ના આત્મા ને મોક્ષ આપવી શકે છે કહેવાય સે કે દુનિયા
નું સૌથી મહાન શક્તિ કહો તો એ પ્રેમ ની શક્તિ છે જેને આ સંસાર માં કોઈ
 હરાવી નથી શકતું પ્રેમ સમજાય સે અને પોતાની અંદર ઉતરી લે  સે  એ 
વ્યક્તિ આ સંસાર ના બધા ઋણ માંથી મુક્ત થાય છે જે આ જ્ઞાન ને
પામી લે છે ધર્મ નું  જ્ઞાન ,વેદોનું જ્ઞાન તમામ સંસાર નું જ્ઞાન આ પ્રેમ ની પરિભાષા
મો સમાયલું સે આ સંસાર નું જ્ઞાન,મનુષ્ય જીવન નો સાર પ્રેમ છે હું તમને મારા 
કાળા કલુદા શબ્દો થી તમને પ્રેમ સમજાવવાનો પ્રયત્ન કરું છુ આમાં મારી કોઈ 
નાની મોટી ભૂલ થઈ હોય કે થાય તો મને માફ કરજો....
               કેમકે જ્યારે તમે આ પ્રેમ ની પરિભાષા ને સમજાવવા કે વાચવાનું
ચાલુ કરશો ત્યારે કેટલીક વાતો તમને આશ્ચર્ય માં પાડી મુક છે અને કેટલીક વાતો 
તમને અસત્ય જેવી પણ લાગશે ,કેટલાક ને ગુસ્સો પણ આવશે તો કેટલાક ને 
આત્મા માં પીડા પણ થશે કેમકે જેને પ્રેમ કર્યો હસે તેજ મારી વાત મારા શબ્દો 
ને લગભગ સમજી સકે છે ગણા ને લગભગ આભાસ થશે કે યે ક્યાં  ભૂલ  
કરી બેઠા સાના કારણે ભૂલ થઇ ક્યાં ફસાયા અને કેમ પ્રેમ પર થી નફરત
આજે પહોંચી ગયા ...
       ગણું બધું સે પ્રેમ માં જે હજી તમે નથી જાણી શક્યા જે આ પુસ્તક
તમને સાચું  સમજાવ છે એવી આશા કરું શું







                      🌼🌼🌼🌼🌼🌼


                     







                       
 
                                     વ્યકિત ના મંતવ્ય

વ્યક્તિ ના મંતવ્ય ની વાત કરી એ તો અમુક વ્યક્તિઓ આ પ્રેમ ની પરિભાષા જ 
બદલી નાખી સે પ્રેમ ની વાત કરતા એમના અંદર એટલા ખોટા વિચારો ભરાય ગયા
છે કે પ્રેમ ને જ ખોટો સાબિત કરી નાખે સે પ્રેમ એટલે બરબાદી,પ્રેમ પ્રેમી વ્યક્તિ 
એટલે ચરિત્રહીન વ્યક્તિ ,પ્રેમ એટલે સેક્સ ,પ્રેમ એટલે વ્યશન ,પ્રેમ કરો તો માન
સન્માન, યસ,કીર્તિ, ગુમાવવું, વગેરે....જેવા અર્થ ના અનર્થ બનાવી નાખ્યા સે 
અને બીજું બોલે તોય શું બોલે કેમ કે આ સમાજ માં ટીવી, મોબાઈલ, જેવા સાધનો
થી ના જોવાના ,ના સમજવાના પાત્રો જો ય પોતાના જીવન માં ઉતારવાના એમના 
પ્રયત્નો એજ તેમને ખોટા માર્ગદર્શન સુધી લય જાય સે  પોતે ફિલ્મ માં બતાવેલ 
પાત્રો ની જેમ પ્રેમ કરશે  વાતો કરશે જીદ કરશે અલગ પડશે પોતાના પ્રેમ ને અમર
પ્રેમ બનાવવાની કોશિશ કરશે સામે પાત્ર ન સમજે તો ક્રોધ કરશે  જબરદસ્તી કરશે
ડરાવ સે , દમકાવસે , બદનામ થાય સે બદનામ કરે વગેરે... જેવા કાર્ય કરશે જેના 
લીધે સમાજ તેમને જોય પ્રેમ નો અનર્થ અર્થ સમજે સે અને પ્રેમ ને બદનામ કરે છે
જે આ બધું કરે સે તે હકીકત માં પ્રેમ ને સમજતા જ નથી 
                પ્રેમ ને જે સમજે સે એ મૌન છે એ સમજાય શકતા જ નથી કેમ કે કોઈ 
સમજવા જ માગતું નથી જે જુવે સે સાંભળે શે તે જ સાચું માની બેસે શે તેમને પણ 
હું ગલત નહી કહું કેમ કે રોજ સવારે ઉઠી ને રોજ નવી નવી ઘટના ઓ , સમાચાર 
જોવા મળે છે આજ પ્રેમી , પ્રેમિકા આ કર્યું ,આવું કર્યું , આવું થયું ,જેવા સમાચાર
ઘટના જોય માણસ પોતે વિચાર વાની તાકાત ભૂલી જાય શે અને બધું સાચું માની 
બેસે છે અને ક્યાંક પ્રેમ વિશે બોલવાનો વારો આવે તો એજ બોલ શે જે સમજ્યા 
શે જે જોયું સે હકીકત માં સત્ય ના પણ પ્રકાર હોય છે કયું સત્ય સાચું છે એ સમજવું
કઠિન નથી માણસ અસત્ય ને જલ્દી સત્ય માની બેસે છે કેમ આવું થાય છે ..એના 
વિશે મારી બીજી પુસ્તક માં વાત કરીશું હાલ આપને પ્રેમ ની પરિભાષા વિશે જાણીએ
પ્રેમ માં મનુષ્ય ના મંતવ્યો તો તમને સમજાય ગયા તેઓ જે જુવે સે અને જે સમજ્યા સે
 તે બોલે છે તેમને ખોટા સાબિત ન કરાય આપણે તેમને આવું બોલવાં અને સમજવા તેમનું 
પ્રેમ પર નું અજ્ઞાન છે જે કોઈ કારણો સર તેમને આવી અજ્ઞાન ની સીમા પર લાવી દીધા છે
બસ તેમ ને પણ જે દિવસે પ્રેમ ની પરિભાષા સમજાય જશે તો તમને અને તમારા પ્રેમ ને અને
આ પ્રેમ ને સમજી જશે 
            કોઈ વડીલ કે વ્યક્તિ પ્રેમ નો વિરોધ કરે તો તમે તેની સાથે કોઈ દુશ્મની ના કરો 
બસ ચેહરા પર એક નાનું સ્મિત લાવી તમને માફ કરી દો અને પોતાની આત્માને કહો આ
માણસ હજી પ્રેમ ની પરિભાષા થી અનજાન છે પરમાત્મા તમને પ્રેમ ની પરિભાષા સમજાવે
એવી પ્રાર્થના કરી આગળ વધો કેમ કે જ્યાં સુધી મનુષ્ય પ્રેમ ની પરિભાષા નહિ સમજે અને
પોતાના જીવન માં નહિ ઉતરે ત્યાં સુધી તે આ જીવનચક્ર ના જન્મ મરણ ના બંધન માં 
બંધાયેલા જ રહે છે મનુષ્ય ને જો અંતિમ શ્વાસ માં પણ જો આ જ્ઞાન પ્રાપ્ત થશે 
તો જ તે આ જીવન ચક્ર માંથી મુક્ત થશે માટે એક ને એક વાર મનુષ્ય ને પ્રેમ સમજવો
જ પડશે કેમ કે આ ભ્રમાંડ અને આ પ્રકૃતિ બને પ્રેમ થી બનેલી છે અને પ્રેમ થી ચાલે છે
દરેક મનુષ્ય ને પ્રેમ ની પરિભાષા સમજવી પડશે ત્યારેજ તેમનું  મનુષ્ય જીવન નો 
ઉદ્દેશ્ય પૂરો થશે અને પરમાત્માનું કાર્ય પૂરું થશે પ્રેમ થી જ ભક્તિ થશે , પ્રેમ થી જ્ઞાન 
મળશે ,પ્રેમ થીજ પરમાત્મા મળશે અને પ્રેમ થીજ તમે મુક્ત થશો 
         ચાલો પ્રેમ ની પરિભાષા ભાષા તરફ આગળ વધીએ પ્રેમ ને તમે જે રીતે જુવો
છો તેવી જ રીતે તમને સમજાવીએ હાલ યુગ પ્રમાણે પ્રેમ ને લોકો એક પ્રેમી અને 
પ્રેમિકા ના પાત્ર માં જુવે સે અને તેને પ્રેમ કહે છે એટલે તમને પ્રેમી પ્રેમિકા ના પાત્ર 
માં જ સમજવું એટલે તમે જલ્દી સમજ છો 
* પ્રેમ સુધી પહોંચવા માટે આઠ પડાવ આવે છે ચાલો તમારી સાથે આગળ વધીએ*



        🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼

                            1 આકર્ષણ
આકર્ષણ ની વાત કરતા પહેલા ગુરુત્વાકર્ષણ બળ તમે સમજીલો પૃથ્વી ના અંદર
 ગુરુત્વાકર્ષણ બળ સે જેમ પૃથ્વી પર દરેક જીવ, ચીજ વસ્તુ તેની તરફ ખેચી રાખે 
છે બસ તેવી રીતે થોડો અલગ અને ઊંધો ગુણ  મનુષ્ય ના અંદર પણ છે  ઉ.દા  
આપણે લોહિચૂબક લય લીએ જે એક બીજા લોહિચુબક ને ચોંટી જશે પણ
તેમને વિરોધ દિશા માં કરવામાં આવે તો દૂર ભાગે છે  તમે જોઉ હશે તેના જ  
જેવો આકર્ષણ નામ નો ગુણ મનુષ્ય માં સમાયલો હોય છે જે કોઈ જાણી
 અણજાણી વ્યક્તિ ને આકર્ષણ કરે છે કોઈ પાત્ર તરફ તમેને ખેંચે  છે   અને
ટૂંક માં કહુતો પસંદ કરવું તેના તરફ વધારે ધ્યાન દોરવું બસ પ્રેમી,પ્રેમિકા આમાં મોટી
ભૂલ થાય છે તે આકર્ષણ ને પ્રેમ સમજી બેસે છે તેમને કોઈ થી આકર્ષણ થાય કા તો
તેમનાથી કોઈ આકર્ષણ થાય તરતજ તેઓ  અલક મલક માં, મિત્રો ને વગેરે..જગ્યાએ
ગાતાં ફરે છે તેથી કોઈ એક પાત્ર વિરોધ દિશા વળે છે અને તે આકર્ષણ લોહીચુંબક 
ની જેમ વિરોધ દિશા માં ચોટ તા નથી અલગ થાય છે , કદાચ વિરોધ ના થાય તો પણ
તેમના વચ્ચે અંતર આવી જાય છે ઉ. દા.  2 સાફ લોહીચૂબક લેજો અને જેમ પ્રેમી,
પ્રેમિકા બધે ગાતાં ફરતા તેવી રીતે લોહિચુબક ને બધી બાજુ માટી માં ફેરવ ફેરવ કરો
શું જોવા મળ્યું લોહીચૂબક ની આજુ બાજુ માટી માંથી નાના નાના ટુકડાઓ ચોંટી ગયા
હવે બને લોહી ચુંબક ચોંટાડવા માટે એ માટી ના નાના ટુકડા દૂર કરવા પડે પછી પહેલા ની
જેમ લોહિચુબક ચોટશે જો નાના નાના ટુકડાઓ હસે તો બને લોહિચૂબક ચોટસે તો ખરા
પણ પહેલા ની જેમ મજબૂત નહી તેમના વચ્ચે નાના ટુકડાઓ આવી ગયા હશે એટલે તેમના 
વચ્ચે નું આકર્ષણ બળ પણ ઓશું થયું હશે તેમને થોડા બળ થી પણ અલગ કરવાના આવે
તે જલ્દી આસની થી અલગ થઈ જાય છે બસ આવી રીતે પ્રેમી,પ્રેમિકા અલગ થાય છે અને
પાછા આકર્ષણ માં અલગ પડેલા પ્રેમીઓ પ્રેમ ને બદનામ કરે સે અને કહે છે અમે પ્રેમ માં 
અલગ થયા સાચું કહો પ્રેમીઓ આવું જ કરે છે ને એમને સમજાવવા માગું શું કે તમે જે પણ
કર્યું હતું બસ આકર્ષણ હતું તમને તો પ્રેમ થયો જ નહી જે થયું તે આકર્ષણ હતું હવે બોલો 
ક્યાં અલગ થયાં પ્રેમ માં કે આકર્ષણ માં ?  જવાબ આવે આકર્ષણ માં ,આ આકર્ષણ ના ગુણ
કે પડાવ માં લગ ભગ 20% પ્રેમીઓ અલગ થાય સે હું એમને એમ કહેવા માગું સુ કે તે આકર્ષણ કર્યું 
છે પ્રેમ નહી કર્યો માટે તમે પ્રેમ ને બદનામ ના કરો પ્રેમ માં તમે અલગ પડિયા જ નહી તમે હજી પ્રેમ ની
શરૂઆત અને 1આકર્ષણ ના પડાવ માં હરી ગયા શો માટે પોતાના મિત્રો ,સંબંધી અને પોતાને સમજાવો
કે હું આકર્ષણ જ હાર્યો હું મે હજી પ્રેમ ની શરૂઆત માં જ હાર નો સામનો કર્યો છે હું આજે ઊભો થઈ
આ આકર્ષણ ના પડાવ માંથી બહાર નીકળવાનો પ્રયતન કરી આગળ પ્રેમ તરફ વધીશ 
             આકર્ષણ માં ભૂલ થાય તો તેમાં દેખાતા લક્ષણ કાયક આવા હોય સે જે તમે સમજો આકર્ષણ
માં કંઈ ભૂલ થાય તો પ્રેમી,પ્રેમિકા એક બીજા થી દૂર ભાગે સે ,તમે જ્યાં જશો ત્યાં તમારું પાત્ર નહી આવે 
એ કોઈ જગ્યા એ ઊભા કે બેઠા હોય અને તમે જશો તો ત્યાંથી દૂર જતા રહેશે ,આમાં કોઈ એક પાત્ર 
વધારે ખેંચશે અને બીજું પાત્ર તેના થી દુર ભાગે છે તેઓ તમારી તરફ જોવા પણ નહી માગે તમારા થી 
જાણે પીછો છોડાવવા માગતા હોય એવું લાગે છે જો આવું થતું હોય તો આ આકર્ષણ નો પડાવ છે સમજી
તમારા અંદર અને શામાં પાત્ર માંથી આકર્ષણ નો ગુણ ત્યાગી દેવો પડશે તોજ તમે બીજા પડાવ સામે લડી
સક શો અને આગળ વધી શકો છો નહીતો આ આકર્ષણ ના પડાવ માંથી બહાર પ્રેમ સુધી નહી પહોંચી
સકો આગળ જતાં તો એના કરતાં વધારે કઠિન પડાવ આવે છે માટે પોતાના આત્મા ,મન તૈયાર કરી આગળ 
વઘો અને પ્રથાના કરો ભગવાન મને પ્રેમ ના પડાવ સુધી લય જવા માં મારી મદદ કરો 
                    આકર્ષણ પછી આવે છે ભય નામનો પડાવ ચાલો તેને સમજીએ.....










                       🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼
                      2 ભય

           ભય એટલે બધા ને ખબર છે કે બીક  બસ આકર્ષણ પછી જે બીજો પડાવ ભય થી 
ચાલુ થાય છે દરેક પ્રેમી પ્રેમિકા ને કોઈ કી કોઈ ની બીક હોય છે કોઈ ને માન સન્માન ની કોઈ 
ને પરિવાર ની તો કોઈ ને સમાજ ની તો કોઈ ને મિત્રો ની કે કોઈ કારણ સર તેઓ તેમ નો પ્રેમ
છુપાઈને રાખતા હોય છે તેમ ને પોતાના ના પ્રેમ બચાવવા ભય માં જીવતા હોય સે અને કોઈ
સંજોગ માં તેમનો પ્રેમ ચાવો થાય એટલે કે કોઈ ને તેમના પ્રેમ ની ખબર પડે એટલે તેઓ તરત
તેમનો પ્યાર પ્રેમ ને છોડી મૂકે છે તેમાં એક બીજા પાત્ર ના ફેમિલી ની માર ધમકી કે કાનૂન ની 
બીક થી અલગ થાય છે લગભગ 20% પાત્રો આ ભય ના પડાવ માં અલગ થાય છે આ માં 
કોઈ એક પાત્ર પોતાના બીજા પાત્ર ની સુરક્ષા માટે પોતાના પ્રેમ ને બલિદાન કરે છે અને દૂર 
થાય છે તમે જ કહો કે આ પાત્ર એ પ્રેમ માં અલગ પડિયા કે ભય માં જવાબ ભય અને પોતે 
પ્રેમ બદનામ કરે અને કહેતા ફરે છે કે અને પ્રેમ માં અલગ પડિયા સાચું કહો તો એ ભય માં 
અલગ થાય છે ના તો પ્રેમ માં સમજાયું 
   આમાં પણ મોટી મુસીબત ત્યારે આવે જ્યારે પરિવાર ને ખબર પડે એટલે સામાં પાત્ર થી
લડાઈ ઝગડો કરી પોતાના પાત્ર ને ડરાવી ધમકાવી તેના થી દુર રહે વાનું કહેવામાં આવે છે
અને તેમનો પરિવાર ના કરવા ના નિર્ણય પણ અમુક વાત લય લેશે કાતો ઘર માં બંધ કરી 
દે કાંતો બીજે સંગાસંબંધી ત્યાં મોકલી દે છે કાંતો સગાઈ કે લગ્ન કરાવી નાખે છે  પરીવાર
 પણ પ્રેમ  ને નથી સમજી કેતા તેમને પણ પ્રેમની પરિભાષા નું જ્ઞાન નથી  હોતું એટલે આવું
કરે છે અને બને પાત્રો પણ મજબૂર થઇ કાંતો તેમની ઇજજત ,ભય ના કારણ અલગ પડે
છે એજ બીજા થી દુર થાય છે પરંતુ પાત્રો આ ભય ના પડાવ ને સમજી સકતા નથી .
        ભય ના પડાવ માં તમે છો એ જાણવા ના લક્ષણ કઈક આવા હોય જુઓ ભય માં પાત્ર
બીજા ના પાત્ર ના વિશે વિચારે છે તેને સંતાઈ ને મુલાકાત કરવાના નવી નવી યોજના  વિચારે 
છે ચહેરા પર દિલ માં ડર હોય સે કોઈ ને ખબર ના પડે એટલે પોતાના  વિચારો થી બનાવે લા 
મુલાકાત ની યોજના  વાર વાર બદલ બદલ કરે છે એકે યોજના માં તેમનું મન શાંત થતું નથી 
ના બનવાની ઘટના ઓ વિચારે છે એ બધું વિચારી ને પણ એમાં ભય લાગે તો બીજી યોજના 
બનાવે છે અને આખરે પોતાના મન ને સમજાવવા પોતે નક્કી કરે છે સામે પાત્ર ને મારા થી પ્રેમ 
હશે તો એ મને મળવા આવશે 
બસ  આ વા ખોટા વિચારો કરતા કરતા બને ગણા સમય અલગ રહે છે અને એક બીજા ને ના 
મળવાની કોશિશ તેમને વચ્ચે મોટી દિવાર બની જાય સે અને કાયમ માટે એક બીજા ની યાદો 
જીવે છે અને ગણા સમય પછી એકબીજા ને  ભૂલી પણ જાય છે 
         આ ભય ના પડાવ માંથી ગણા નીકળી પણ જાય છે અને આગળ ના પડાવ મો પહોંચી
જાય સે જે વ્યક્તિ આ ભય ને પોતાના અંદર થી અને સામે પાત્ર ના અંદર થી બહાર કાઢવા માં 
સફળ થાય તે આ ભય ના પડાવ ને આશાની થી પસાર કરી શકે  છે
   કોઈ કારણ તમે ભય ના પડાવ માં છો તો તમે તમારા પાત્ર મે તમારા થી દુર ના થવા દો
કોશિશ કરતા રહો તેમના થી વાત કરવા ની મળવાની ભય ના પડાવ માં જો એક બે મુલાકાત 
થાય જાય તો ગણું સે પોતાના પાત્ર ની પીડા ને સમજવા અને પોતાના પ્રેમ ને સમજવા માટે 
તમારા વચ્ચે દુરી ના બનાવતા નહીતો આ પડાવ માં થી બહાર નહી નીકળી સકો અને ભય 
માં અલગ પડેલા પાત્રો પ્રેમ મે બદનામ કરતા રહે છે
        આમ તો મનુષ્ય ને દરેક જગ્યા સે ભય છે દરેક મનુષ્ય ને મોત નો ભય સૌથી વધારે લાગે
છે અને જે મોત ના ભય સામે જીતી જાય સે તે પ્રેમ ના ભય માં પણ જીતી જાય છે આમ  તેમ 
જોશો તો તમારી આજુ બાજુ પણ બધે ગણી એવી ચીજ વસ્તુ હોય છે જે તમને નુકસાન તેમજ
મુત્યુ કરાવી શકે છે છતાં મનુષ્ય ગણા ભય માં જીવે છે તો ગણા ભય મુક્ત થઈ જીવે છે 
આમ જે ભય ને સમજ છે અને તેની સામે લડી શકે છે તેજ પ્રેમ સુધી આગળ પહોંચી શકે છે
ચાલો હવે આગળ ના પડાવ વિશે જાણીએ પ્રેમ સુધી પહોંચવા માં આગળ નો પડાવ મોહ છે 
           જે આગળ નો પડાવ આવે તેને સમજવો ખૂબ કઠીન છે ચાલો પ્રેમ ની પરિભાષા
તરફ બીજું એક કદમ આગળ વધીએ પરમાત્મા ને યાદ કરી મોહ ને સમજીયે.


              🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼


                                 3 મોહ
     મોહ વિશે તો તમે જાણતાં હશો કે કોને કેવાય પણ પ્રેમ માં મોહ ના રહેવો જોઈએ કેમ કે 
  જો પ્રેમ માં મોહ હશે તો એ તમને ખોટી દિશા તરફ લય જશે આમ તો મોહ અને પ્રેમ વચ્ચે
થોડું જ અંતર સે જેને સમજવું ખૂબ કઠીન સે તમે એક વાત નક્કી કરી દો કે તમને તમારું પાત્ર
કેમ ગમે છે , શાના કારણે ગમે છે કેમ તમે તેના તરફ આટલા ખેંચાવ છો એ પહેલા નક્કી કરો 
જો મોહ ના લક્ષણો તમારી અંદર હોય તો જોય લો આવી રીતે હોય છે મોહ ,તમને પાત્ર ની
કોઈ ચીજ વસ્તુઓ સાથે લગાવ હશે ,તેના હોદો, પદ , પૈસો સાથે કાંતો પાત્ર ના રંગરૂપ પર 
કાંતો તેમની જવાની ,તેમજ તેમની સુંદર કાયા ( શરીર) માં પણ હોય શકે મનુષ્ય હજી એ
ક્યાંક ને ક્યાંક  આ બધા માટે જ વધારે લગાવ કરે છે અને  આ બધું જોઈ તેના તરફ વધુ
વધારે ખેચાય સે અને આ બધા ને તે પ્રેમ કહે છે હકીકત માં આ મોહ છે 
                                 તમે પાત્ર કઈ રીતે ,કેવી રીતે ,શા માટે , કોના માટે ,ક્યાર થી અને કઈ
વાત થી પસંદ કરો એના પર ધ્યાન આપો તમને જવાબ કદાચ મળી જાય ,કદાચ તેના રૂપ થી
 મોહ હોય તો સમય સાથે રૂપ ઢળી જાય છે , સમય સાથે પૈસા ,પદ, હોદો બધું ઓછું થાય છે 
અને એ દિવસે પાત્ર ના લગાવ પણ ધીરે ધીરે ખતમ થાય છે અને તેમનો મોહ પણ ખતમ થાય
અને એક બીજા થી સંબંધ પણ પૂરા થાય સે કોઈ આકસ્મિક ઘટના થાય પાત્ર નું બધું ખોવાઈ
જાય ત્યારે પણ ત્યાંથી સબંધ પૂરો થાય છે કેમ કે આ બધું મોહ સે કેમ કે પ્રેમ અમર છે અંનન
જે કોઈ પણ કારણ પૂરો થતો નથી અને જે સંબંધ પૂરો થાય તો સમજવું તેમાં પ્રેમ નથી મોહ 
છે મોહ ના આ પડાવ માં પણ 40% પાત્રો અલગ થાય છે જે ગમતું હતું અચાનક અણગમતું
થાય એટલે સબંધ પૂરો તો આ મોહ નથી તો શું છે બોલો મોહ છે સાચું ને કેમ કે પ્રેમ ની શરુઆત
કે અંત નથી આ એક વાત મગજ માં ફીટ કરી દો બધું સમજાય જશે 
             ચાલો મોહ ના પડાવ માંથી જો કોઈ બાકી રહી જાય અને મોહ અને પ્રેમ ને સમજી જાય 
તો તેના તરફ બીજો પડાવ ચાલુ થાય છે ચાલો તેને પણ સમજીએ તે પડાવ નું ના ક્રોધ છે 


                             🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼
                                        4  ક્રોધ
       ક્રોધ વિશે આગળ જાણી યે પહેલા તમને ખબર છે કે ક્રોધ કોને કહેવાય 

મારી અડધી જીંદગી સુધી મે પ્રેમ ની તલાશ માં વિતાવી નાખી....મારું બચપણ અને જવાની પ્રેમ ની શોધ માં ગઈ..

છેલ્લો પ્રેમ 4(એક ભૂલ)

નમસ્તે મિત્રો કેમ મજામાં... છેલ્લો પ્રેમ 4 માં હવે આગળ વધી એ પહેલા એક વાત કહી દવ કે જ્યારે પ્રેમ માં હોવ ત્યારે ભૂલ થી પણ કોઈ ભૂલ ના થાય તેન...